પતિથી કંટાળી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી ઘરના ફળિયામાં દાટી દીધો- જુઓ કેવીરીતે ખુલી પોલ

ઉત્તર પ્રદેશના ઉન્નાવ (Unnao, Uttar Pradesh) માં નશામાં ધૂત પતિની મારપીટથી પરેશાન થઈને પત્નીએ પતિની હત્યા કરી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે, સાસરે પહોંચેલા યુવકે તેની પત્ની પર મારપીટ કરી હતી. રોજની મારપીટ અને નશામાં ધૂત પતિથી પરેશાન પત્નીએ તેના ભાઈ સાથે મળીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી પત્નીએ ઘરના આંગણામાં ચાર ફૂટનો ખાડો ખોદી લાશને દાટી દીધી હતી.

જ્યારે યુવક ઘણા દિવસો સુધી ઘરે ન પહોંચ્યો ત્યારે તેની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં સુમિત્રાએ જણાવ્યું હતું કે મારો પુત્ર ઓમપ્રકાશ ગાયબ છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સાસરિયાંઓ પર શંકા જતાં પોલીસે સાસરિયામાં તપાસ હાથ ધરી. પૂર્વા પોલીસ સ્ટેશન વિસ્તારના આમરી ગામમાં પોલીસે સાસરિયાઓ પર કડક કાર્યવાહી કરી. યુવકની પત્ની સાવિત્રીને પૂછપરછ કરવામાં આવી તો તેણે હકીકત જણાવી.

આ પછી સાવિત્રીના કહેવા પર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીએ પતિના મૃતદેહને ઘરના જ આંગણામાં દાટી દીધો હતો. પોલીસે ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપી પત્ની સાવિત્રીને કસ્ટડીમાં લીધી છે. કેસની તપાસ ચાલી રહી છે. એસપી દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું કે યુવક 25 જૂનથી ગુમ હતો. તેનો મૃતદેહ સાસરિયાના ઘરેથી મળી આવ્યો હતો. પત્ની દ્વારા હત્યાનો મામલો પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યો છે. પત્ની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *