ચાર્જરના કેબલથી ગળું દબાવી પત્નીનું ઢીમ ઢાળી, પતિએ પણ આપઘાત કરી લીધો- સામે આવ્યું આ ચોંકાવનારૂ કારણ

આજકાલ અવારનવાર આપઘાત અને હત્યાના કિસ્સાઓ સામે આવતા દેખાય રહ્યા છે. ત્યારે ઈન્દોર(Indore)ના દ્વારકાપુરી(Dwarakapuri) વિસ્તારમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કોન્ટ્રાક્ટરે પહેલા…

આજકાલ અવારનવાર આપઘાત અને હત્યાના કિસ્સાઓ સામે આવતા દેખાય રહ્યા છે. ત્યારે ઈન્દોર(Indore)ના દ્વારકાપુરી(Dwarakapuri) વિસ્તારમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કોન્ટ્રાક્ટરે પહેલા મોબાઈલ ચાર્જરના કેબલ વડે પોતાની જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી અને ત્યાર પછી ફાંસી લગાવીને આપઘાત કરી પોતાનો જીવ પણ ટૂંકાવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, રંગપંચમીના દિવસે બાળકો ઘરની બહાર નીકળ્યા કે તરત જ કોન્ટ્રાક્ટરે આ પગલું ભર્યું હતું. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં લખ્યું છે કે, “હું મારી પત્નીની હત્યા કરીને આપઘાત કરી રહ્યો છું”.

વાસ્તવમાં, રણજીત એક બાંધકામ કોન્ટ્રાક્ટર હતો. રંજીતે પોતાની જ પત્ની સંતોષી બાઈનું ચાર્જર કેબલ વડે ગળું દબાવીને હત્યા કરી અને ત્યાર પછી ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટના સમયે મૃતક સૌરભ (14) અને પુત્રી નિધિ (10) બંને માસૂમ બાળકો રંગપંચમીના દિવસે ઘરની બહાર હોળી રમી રહ્યા હતા. જ્યારે બાળકો અંદર આવે છે ત્યારે બાળકો આ જોઇને આસપાસના લોકોને આ ઘટનાની જાણ કરે છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *