રાજસ્થાનના ભીલવાડામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં 17 વર્ષની કિશોરી પર 18 મહિનાથી સતત આશ્રમ ચલાવી રહેલા મહંત દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો, જે નરાધમ મહંતની પોલીસ દ્વારા હવે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આરોપી મહંત 4 રાજ્યોમાં 5 આશ્રમ ચલાવતો હતો, જેના પર 17 વર્ષની છોકરી સાથે 18 મહિના સુધી દુષ્કર્મ કરવાનો આરોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાજધાની જયપુરથી લગભગ 250 કિલોમીટર દૂર ભીલવાડામાંથી મહંત સરજુદાસની ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા વધારાના અધિક્ષક ગોવર્ધન લાલે જણાવ્યું કે ભીલવાડા આશ્રમમાંથી આરોપીની ધરપકડ દરમિયાન કેટલીક શંકાસ્પદ વસ્તુ ખાધી હતી, જેના કારણે તે બેહોશ થઈ ગયો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં, ત્યાં તેની સારવાર કરવામાં આવી.
સરજુદાસને ગુરુવારે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે. આ સાથે ગોવર્ધન લાલે કહ્યું કે તાજેતરમાં જ એક 17 વર્ષની યુવતીએ પણ મહંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણીનો આરોપ છે કે મહંતે દોઢ વર્ષ સુધી તેની સાથે ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે તેની માતા પર પણ એસિડથી હુમલો કરવામાં આવ્યો છે. માતાને શંકા છે કે આ પાછળ મહંતનો હાથ છે.
તમને જણાવી દઈએ કે પીડિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે પોલીસે સૌથી પહેલા પ્રાથમિક તપાસ હાથ ધરી છે, જે દરમિયાન વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સરજુદાસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ઉત્તરાખંડના બદ્રીનાથમાં પણ આશ્રમ ચલાવે છે. પોલીસે એવો પણ ખુલાસો કર્યો છે કે મહંત આશ્રમના અન્ય બાળકોને કામ કરાવવા દબાણ કરતો અને બાળકી પર સતત દુષ્કર્મ આચરતો હતો. પીડિત યુવતીએ થોડા મહિના પહેલા આ સમગ્ર ઘટના તેના મિત્રને જણાવી હતી, હાલ પોલીસ તેની પણ પૂછપરછ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.