તમારા ઘરમાં રહેલી તિજોરીને લઈને જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર- આ વાતોનું ધ્યાન રાખશો તો નહિ ખૂટે ધન અને સંપત્તિ

વાસ્તુશાસ્ત્રની મદદથી વ્યક્તિનું ભાગ્ય તો નથી બદલી શકાતું, પરંતુ જીવનશૈલીમાં પરિવર્તન જરૂર લાવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર, ફર્નિચર વગેરેની સ્થિતિ અને દિશા સાથે પાંચ…

વાસ્તુશાસ્ત્રની મદદથી વ્યક્તિનું ભાગ્ય તો નથી બદલી શકાતું, પરંતુ જીવનશૈલીમાં પરિવર્તન જરૂર લાવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર, ફર્નિચર વગેરેની સ્થિતિ અને દિશા સાથે પાંચ તત્વોમાં સંતુલન લાવીને વ્યક્તિ સારું સ્વાસ્થ્ય, ધન-સંપત્તિ, સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકે છે.

વાસ્તુ નિયમો અનુસાર આ બ્રહ્માંડની રચના પાંચ તત્વોથી બનેલી છે. જેમાં આકાશ, પૃથ્વી, પાણી, હવા અને અગ્નિનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, તે બધાનું સ્વતંત્ર અસ્તિત્વ અને મહત્વ છે. વાસ્તુનો અર્થ સકારાત્મક રીતે ઉર્જાને ફળદાયી બનાવવાનો છે આર્થિક પ્રગતિ હાંસલ કરવી એ દરેક વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ હોય છે. આ માટે પાંચ તત્વોનું સંતુલન અને સકારાત્મકતા લાવવી ખુબ જ જરૂરી છે.

ઉચ્ચ જીવનશૈલી જીવવા માટે, વ્યક્તિ વાસ્તુના મુખ્ય નિયમોને આધાર બનાવીને આગળ વધી શકે છે, જેથી ઘરમાં સંપત્તિ અને આર્થિક સમૃદ્ધિ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની આર્થિક સ્થિરતા હાશીલ કરવા માટે ઘરની પૃથ્વીની દિશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૃથ્વીની દિશા દક્ષિણ કે પશ્ચિમ હોય છે.

આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ઘરની તિજોરી દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ન ખોલવી જોઈએ. કેમ કે તિજોરીને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ખોલવાથી પૈસાની ખોટ થાય છે. જો તમે તમારા ઘરેણાં અને પૈસા સંબંધિત દસ્તાવેજો ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો છો. જેનો ચહેરો ઉત્તર અને ઉત્તર-પૂર્વ રહેશે, પછી તે આર્થિક સંપૂર્ણતા વધારવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *