શિવમંદિરમાં થયો ચમત્કાર: વીજળી પડવાથી મંદિરમાં ફ્લોર પર બન્યું ત્રિશુલ

હરિયાણા: તાજેતરમાં હરિયાણા એક મંદિરમાં ચમત્કાર જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં, અહીંના શિવ મંદિરમાં કંઈક એવું થયું કે તેને જોઈને લોકોના હોશ ઉડી…

હરિયાણા: તાજેતરમાં હરિયાણા એક મંદિરમાં ચમત્કાર જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં, અહીંના શિવ મંદિરમાં કંઈક એવું થયું કે તેને જોઈને લોકોના હોશ ઉડી ગયા. અહેવાલો અનુસાર, કરનાલ જિલ્લાના મદનપુર ગામમાં વરસાદ દરમિયાન ચાર વખત વીજળી પડી હતી. આ દરમિયાન ગામના શિવ મંદિરના શિખરને આંશિક નુકસાન થયું હતું, પરંતુ મંદિરની અંદર ફ્લોર પર ત્રિશૂળનું નિશાન જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું.

હવે ગામલોકો તેને ભગવાનનો ચમત્કાર માને છે. જણાવી દઈએ કે આ બાબત છેલ્લા શનિવારની છે અને આ દરમિયાન આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા શનિવારે સાંજે મદનપુર ગામમાં ભારે વરસાદ પડ્યો હતો.

આ દરમિયાન વીજળીના ગડગડાટથી લોકો ગભરાઈ ગયા હતા અને ભારે વરસાદ વચ્ચે ગામમાં ચાર વખત વીજળી પણ પડી હતી. જણાવા મળ્યું છે કે, આ દરમિયાન ગામના જૂના શિવ મંદિરમાં જોરદાર ધડાકા સાથે ધુમાડો ઉડવા લાગ્યો હતો.

બાદમાં જ્યારે વરસાદ બંધ થયા પછી આસપાસના ગ્રામજનો મંદિર પરિસરમાં પહોંચ્યા ત્યારે ગુંબજના ઉપલા ભાગ અને દિવાલોને નુકસાન થયું હતું. ત્યારે ફ્લોર પર ત્રિશુલનું નિશાન જોવા મળ્યું, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે લોકો તેને ચમત્કાર માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *