મચ્છરોનો ત્રાસ હોય તો ઘરમાં લગાવો આ પાંચ છોડ, ઘરની આસપાસ પણ નહિ દેખાય મચ્છર

તુલસીનો છોડ ભારતીય ઘરોમાં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. તુલસીનો છોડ મચ્છરના લાર્વા અને અન્ય જંતુઓને મારવામાં ખૂબ જ મદદરૂપ છે. તુલસીમાં તીવ્ર ગંધ હોય છે જે જંતુઓ અને મચ્છરોને ભગાડે છે.

ગુલ મહેંદી જેને આપણે રોઝમેરી તરીકે પણ ઓળખીએ છીએ. એક એવો છોડ છે જે મચ્છરો અને અન્ય જીવ જંતુઓને ઘરથી દૂર રાખવામાં ખૂબ મદદગાર છે. આ છોડના ફૂલોમાં એવી તીખી ગંધ હોય છે જે મચ્છરો તેમજ અન્ય જંતુઓને દૂર રાખે છે. આ રોઝમેરી છોડ ગરમ અને શુષ્ક બંને આબોહવામાં ઉગી શકે છે, અને ઘરમાં ઉગાડવામાં સરળ છે.

આમાં ફુદીનો પણ ઘણો ફાયદાકારક છે. ફુદીનામાં એવી ગંધ હોય છે જે જંતુઓ અને મચ્છરોને ભગાડવાનું કામ કરે છે. આ સિવાય ફુદીનો એક સારું માઉથ ફ્રેશનર પણ છે.

મેરીગોલ્ડ ફૂલ દરેક વ્યક્તિ ઓળખે છે, તેને અંગ્રેજી ભાષામાં મેરીગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ છોડની ઘણી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. મેરીગોલ્ડ ફૂલો મોટેભાગે પીળા રંગના હોય છે અને તેમાં વિશિષ્ટ ગંધ હોય છે જે મચ્છર, માખીઓ અને અન્ય પ્રાણીઓને તેમની આસપાસ આવવા દેતા નથી. તમે મેરીગોલ્ડના છોડને ઘરની અંદર અને બહાર ગમે ત્યાં રાખી શકો છો.

ઘણા લોકો લેમન ગ્રાસ વિશે જાણે છે કે તેનો ઉપયોગ ચા માટે થાય છે. પરંતુ લેમન ગ્રાસમાં તીવ્ર ગંધ હોય છે જે ઘરમાંથી મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. લેમન ગ્રાસમાં સિટ્રોનેલા નામનું કુદરતી તત્વ હોય છે જે મચ્છરોને દૂર રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *