“મારે માતાજીની બાધા છે હું તમારી સાથે શારીરિક સબંધ નહિ બાંધુ”- પત્નીની આવી વાત સંભળતા જ પતિએ…

હાલમાં સમગ્ર રાજ્યમાં અવારનવાર ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. પતિ-પત્ની વચ્ચે થતો ઝઘડો એ ઘણીવાર એક મોટું સ્વરૂપ લઈ લેતો હોય છે. આવી જ એક ઘટના હાલમાં જ રાજ્યનાં અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં એક વ્યક્તિને લગ્ન કર્યાં પછી પણ પત્ની પતિને શારીરિક સંબંધ બાંધવા દેતી ન હતી. આને કારણે પતિ-પત્નીની વચ્ચે આ બાબતે ઝઘડા પણ થતાં હતાં. આ ઝઘડાથી કંટાળીને પતિએ એનાં ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હટી.

જેનાંથી આ સમગ્ર મામલે યુવકનાં પરિવારે પરિણીતાની વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો પણ નોંધાવ્યો છે. જાણકારી પ્રમાણે અમદાવાદમાં આવેલ સરસપુર વિસ્તારમાં આવેલ જગજીવન સોસાયટીમાં સુરેન્દ્રસિંહ નામનો કુલ 33 વર્ષનો એક યુવક એનાં પરિવારની સાથે જ રહેતો હતો. સુરેન્દ્રસિંહે એની પ્રથમ પત્નીની સાથે મનમેળ ન રહેતાં પત્નીની સાથે છૂટાછેડા પણ કર્યા હતાં. છૂટાછેડા લીધાં પછી વર્ષ 2018માં સુરેન્દ્ર ગીતા પરમાર નામની મહિલાની સાથે લગ્ન પણ કર્યા હતાં પણ લગ્ન પછી પણ ગીતા તથા સુરેન્દ્ર જુદી-જુદી જ રૂમમાં સૂતા હતાં.

સુરેન્દ્રસિંહે એની માતાને જણાવતાં કહ્યું હતું કે, ગીતાએ લગ્નને બાબતે માતાજીની બાધા લીધી હોવાને લીધે તે એની સાથે સૂતી પણ નથી તથા વારંવાર પિયરમાં પણ જતી રહે છે. ગીતાએ સુરેન્દ્રને ઘરનો ભાગ લઇને અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં પરિવારથી જુદાં રહેવાં જવાનું કહેતાં બંને પતિ-પત્નીની વચ્ચે ઝઘડો પણ થયો હતો.

તો, બીજી બાજુ નાની એવી વાતોને લઈને ગીતા સુરેન્દ્રની સાથે ઘણીવાર ઝઘડો પણ કરતી હતી. તેથી, સુરેન્દ્ર સતત જ તણાવમાં તેમજ બીમાર પણ રહેતો હતો.પત્નીથી ત્રાસી ગયેલ તથા તણાવમાં રહેતાં પતિએ પરિવારનાં સભ્યો 27 જૂલાઇએ એક મરણ પ્રસંગમાં ગયાં હતાં ત્યારે જ એનાં ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત પણ કરી લીધો હતો.

બનાવની જાણ પરિવારનાં સભ્યોને થતાં જ પરિવારે પણ આ બાબતની પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો, બીજી બાજુ પરિવારે સુરેન્દ્રની પત્ની ગીતાની વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

જેનાંથી પોલીસે સુરેન્દ્રની પત્ની ગીતાની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. પોલીસનું માનવું છે કે, લગ્ન કર્યાં પછી પણ આરોપી પુત્રવધુ એનાં પતિની સાથે સુતી પણ ન હતી. આ બાબતે માતાજીની બાધા હોવાનું કહીને ઘણીવાર પતિની સાથે ઝઘડો પણ કરતી હતી.

મહત્ત્વની વાત તો એ છે કે, સુરેન્દ્રની પત્ની ગીતાએ પણ અગાઉ કુલ 2 લગ્ન કર્યા હતાં. લગ્ન પછી પણ ગીતા સુરેન્દ્રની સાથે સાસરિયામાં ખુબ જ રોકાતી ન હતી તેમજ વારંવાર તેનાં પિયર પણ જતી રહેતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *