દીકરાને નાસ્તો લેવા મોકલી પતિએ તીક્ષણ હથિયારના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી ફરીવાર એક ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં ડિંડોલી(Dindoli) વિસ્તારમાં આવેલી વૃંદાવન રેસિડેન્સી(Vrindavan Residency)માં રહેતા મૂળ સુરેન્દ્રનગર(Surendranagar)ના પાટડી(Patdi)ના રહેવાસી સરૂભા(Sarubha)એ…

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી ફરીવાર એક ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં ડિંડોલી(Dindoli) વિસ્તારમાં આવેલી વૃંદાવન રેસિડેન્સી(Vrindavan Residency)માં રહેતા મૂળ સુરેન્દ્રનગર(Surendranagar)ના પાટડી(Patdi)ના રહેવાસી સરૂભા(Sarubha)એ પોતાની જ પત્નીની હત્યા નીપજાવી હતી. જાણવા મળ્યું છે કે, પત્ની હંસાબા(Hansaba) સાથે ચારિત્ર્યની શંકામાં ઝઘડો હંમેશા થતો રહેતો હતો. આજે 20 દિવસ બાદ તેઓ ઘરે પરત આવ્યા હતા અને તેનો પુત્ર ઘરે હોવાથી તેને કહ્યું કે, તું નાસ્તો લઈને આવ. આ દરમિયાન, દરવાજો બંધ કરીને તેની પત્નીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા(Murder) કરી નાખી હતી.

જાણવા મળ્યું છે કે, સરૂભા અને હંસાબા વચ્ચે છેલ્લા ઘણા સમયથી દાંપત્ય જીવનમાં શાંતિ નહોતી. અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. થોડા દિવસો અગાઉ પણ હંસાબા ઉપર તેમના પતિ દ્વારા તલવારથી હુમલો કર્યો હતો.  ઘણી વખત માતા સાથે તેમના પિતા ઝઘડો કરતા ત્યારે બાળકો પણ વચ્ચે બોલતા હતા. તે દરમિયાન તે બાળકોને પણ મારતો હતો.

પરિવારમાં 14 વર્ષની દીકરી અને 20 વર્ષનો પુત્ર પણ અવારનવાર તેની માતા સાથેના અયોગ્ય વર્તન કરતા તેઓ પણ હેરાન થઈ ગયા હતા. ઘટના અંગે એસીપી જે.ટી. સોનારાએ જણાવ્યું કે, આરોપી સરુભા પત્ની સાથે ઝઘડો કરતો રહેતો હતો. તાજેતરમાં જ તેના ઉપર હુમલો કરવામાં આવતા પત્નીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

જાણવા મળ્યું છે કે, સરૂભાને તેની પત્ની ઉપર ચારિત્ર્યની શંકા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આજે ઘણા દિવસો પછી તે ઘરે આવ્યો હતો. આરોપીને અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *