તારક મહેતા સીરીયલમાં જુના દયા ભાભીને આવવું છે પાછું, પણ માગી રહ્યા છે અધધ… આટલા બધા રૂપિયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta ka Ulta Chashma) શોની દિશા વાકાણી(Disha Wakani) ઘણા સમયથી શોમાં દેખાતી બંધ થઇ ગઈ છે. જયારે હાલ કેહવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ફરીથી દર્શકો સામે જોવા મળશે. જોકે, હજી સુધી તે પરત ફરી હોવાનું કહેવામાં આવી રહ્યું નથી. મળતી માહિતી અનુસાર ચર્ચા થઇ રહી છે કે દિશા વાકાણી શોમાં પરત ફરવા માટે તૈયાર થઇ છે, પરંતુ તેણે શોમાં પાછા આવવા માટે બે શરતો કરી છે.

દિશા વાકાણીની મુકવામાં આવેલ શરતોનો જો સ્વીકાર કરવામાં આવે તો દિશા વાકાણી શોમાં ફરીથી જોવા મળશે. મળતી માહિતી અનુસે કહેવામાં આવી રહ્યું છે કે, આ બાબતે દાવો કર્યો છે કે દિશા વાકાણી થોડાં વર્ષના બ્રેક પછી શોમાં આવવા માટે તૈયાર થઇ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ શો છેલ્લા 13 વર્ષોથી દર્શકોને મનોરંજન(Entertainment) સમગ્ર દેશને કરાવી રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 2008માં શરૂ કરવામાં આવ્યો હતો. 13 વર્ષથી ચાલતો આ શો અત્યાર સુધીમાં 3000થી પણ વધુ એપિસોડ કરી ચુક્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન તથા જેઠાલાલના કિરદારને લોકો દ્વારા વધારે પસંદ કરવામાં આવે છે. જયારે આ શોમાં દયાબેનનું કિરદાર નિભાવતી અભિનેત્રી 2017થી આ શોમાં જોવા મળતી બંધ થઇ ગઈ હતી. જયારે લોકોને જાણવા મળ્યું છે કે હવે દિશા વાકાણી જે દયાબેનનું કિરદાર નિભાવે છે તે દિશા વાકાણી હવે શોમાં પાછી જોવા મળશે તે જાણતાની સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી આવ્યો છે.

તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે દિશા વાકાણી એપિસોડ દીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી રહી છે. તેમજ તેને બીજી પણ એક શરત કરી છે કે તે શોના શૂટિંગ દરમિયાન માત્ર ત્રણ કલાક જ કામ કરશે. કારણ કે, દિશા બાકીનો સમય તેના પરિવારને પણ આપવા માંગે છે. જોકે, અત્યાર સુધીમાં દિશા વાકાણી અને મેકર્સ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *