4 દિવસમાં પાકિસ્તાન ફૂસ્સ! પાક.વિદેશ મંત્રી ઈશાક ડારે કર્યું મોટું એલાન, જાણો વિગતવાર

India Pakistan War Tensions: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંઘર્ષ વચ્ચે, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે (India Pakistan War Tensions) કહ્યું છે કે જો ભારત રોકાય તો અમે પણ રોકવા માટે તૈયાર છીએ. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન વધુ નુકસાન ઇચ્છતું નથી.

વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું, “અમે પોતાને નુકસાન પહોંચાડવા માંગતા નથી. અમે વિનાશ અને પૈસાનો બગાડ ઇચ્છતા નથી. તેમણે વધુમાં કહ્યું, “પાકિસ્તાન હંમેશા શાંતિ ઇચ્છતું રહ્યું છે અને જો ભારત આ સમયે અટકશે, તો અમે શાંતિનો પણ વિચાર કરીશું અને બદલો લઈશું નહીં કે કંઈ કરીશું નહીં.” અમે શાંતિ ઈચ્છીયે છીએ.

અમેરિકાના વિદેશ મંત્રીએ ઇશાક દાર સાથે વાત કરી
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. પાકિસ્તાન સતત ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનો ભારતીય સેના સારો જવાબ આપી રહી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે.

જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આજે ​​પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દાર સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે વાત કરી હતી. અમેરિકાના વિદેશ વિભાગના પ્રેસ સ્ટેટમેન્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે અપીલ કરવામાં આવી છે. વિદેશ મંત્રી રુબિયોએ તણાવ ઓછો કરવા અને સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવા માટે પોતાના વલણને પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે તણાવ ફક્ત વાતચીત દ્વારા જ ઓછો થવો જોઈએ.

પાકિસ્તાને ફરી ભારતમાં 26 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો
શુક્રવારે પાકિસ્તાને ફરી 26 સ્થળોએ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો. ભારતીય સેનાએ કહ્યું કે બદલો લેવા માટે પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નથી અને નાગરિક વિમાનો પર પ્રતિબંધ મૂક્યો નથી.