300 જેટલાં ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર શહીદ થયેલ ભારતીય વીરની આત્મા આજે પણ કરી રહી છે દેશની બોર્ડરની સુરક્ષા

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ ચીન સાથે ભારતનાં સંબંધો પણ દિવસેને દિવસે બગડતાં જ જાય છે. ત્યારે હાલમાં પણ ઘણું ઘર્ષણ…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ ચીન સાથે ભારતનાં સંબંધો પણ દિવસેને દિવસે બગડતાં જ જાય છે. ત્યારે હાલમાં પણ ઘણું ઘર્ષણ જોવા મળી રહ્યું છે. હાલમાં એક ચોકાવી દે એવી બનેલ એક ઘટના સામે આવી રહી છે.

ભાtતનાં એક જાંબાઝ સૈનિકનું નામ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાઈ ગયું છે. એવું માનવામાં આવી રહ્યું છે, કે એમની આત્મા આજે પણ દેશનાં પૂર્વ છેડાની રક્ષા કરી રહ્યો છે. જો કોઈપણ સૈનિક ડ્યૂટી પર ઊંઘતો જોવાં મળે છે તો એને થપ્પડ મારીને તેઓ જગાડે પણ છે.

આ શહીદ સૈનિકનું નામ જસવંત સિંહ રાવત છે. ઉત્તરાખંડથી સંબંધ રાખનાર આ સૈનિકે વર્ષ 1962માં ભારત-ચીનનાં યુદ્ધ દરમિયાન એકલાં કુલ 72 કલાક સુધી લડાઈ લડી હતી તેમજ ત્યારપછી પણ શહીદ થઈ ગયા હતાં. એમની બહાદુરીની કહાની આજે પણ સેનામાં કહેવામાં આવી રહી છે.

જસવંત સિંહ રાવતનો જન્મ વર્ષ 1941માં આજનાં દિવસે જ થયો હતો. ચીનની સાથે યુદ્ધ દરમિયાન 17 નવેમ્બર વર્ષ 1962 નાં રોજ તેઓ શહીદ પણ થઈ ગયા હતાં. રાવત ભારતીય થળ સેનાનાં જાંબાઝ સૈનિકોમાંનાં એક હતાં. આજે પણ એવું પણ માનવામાં આવે છે, કે જસવંત સિંહ રાવત એ યુદ્ધ વખતે બનેલ એ જ ચેક પોસ્ટ પર તૈનાત રહે છે.

ત્યાં એમની એક મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. કુલ 24 કલાક એમની સેવામાં સેનાનાં કુલ 5 જવાનો પણ રહે છે. આટલું જ નહીં પરંતુ રોજ એમનાં જૂતાને પોલીશ પણ કરવામાં આવે છે તેમજ કપડાને પણ પ્રેસ કરવામાં આવે છે.જસવંત સિંહ રાવતનો જન્મ 19 ઑગષ્ટનાં રોજ વર્ષ 1941નાં ગ્રામ બાડ્યૂ પટ્ટી ખાટલી, પૌડી એટલે કે ગઢવાલમાં થયો હતો.

તેઓ 16 ઑગષ્ટ, વર્ષ 1960 નાં રોજ ચોથી ગઢવાલ રાયફલ લૈન્સડાઉનમાં ભરતી પણ થયા હતાં. એમની તાલીમનાં સમયે જ ચીને ભારતની ઉત્તર સરહદ ઉપર ઘુસણખોરી કરી હતી. ધીમે-ધીમે ઉત્તર-પૂર્વ સરહદ બાજુ યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી.

સેનાને કૂચ કરવાનાં આદેશ પણ આપવામાં આવ્યા હતાં. ચોથી ગઢવાલ નેફા વિસ્તારમાં ચીની આક્રમણનો જડબાતોડ ઉત્તર આપવાં મોકલવામાં આવી હતી. ત્યારે જસવંત સિંહ રાવતની ટ્રેનિંગ પણ પૂર્ણ થઈ ગઈ હતી. એમની પલટનને ત્વાંગ વૂ નદી પર નુરનાંગ પૂલની સુરક્ષા માટે લગાવવામાં આવી હતી.

ચીનની સેનાએ હુમલો કર્યો હતો. આ સ્થાન કુલ 14,000 ફૂટની ઊંચાઈ પર આવેલું હતું. ચીનની સેના તીડની માફક તૂટી પણ પડી હતી.ચીનની સેનાની સંખ્યા વધુ હતી તેમજ એમની પાસે વધુ સારા હથિયારો પણ હતાં. આને કારણે આપણી સેનાનાં સૈનિકો પણ ઘણાં ઘાયલ થઈ રહ્યા હતાં તેમજ ઘણાં શહીદ પણ થઈ રહ્યા હતાં.

દુશ્મનની પાસે એક મીડિયમ મશીનગન રહેલી હતી, જેને તેઓ પુલની પાસે લાવવામાં સફળ થઈ ગયા હતાં. આ LMGથી પુલ તથા પ્લાટૂન એમ બંનેની સુરક્ષા પણ ઘણી ખતરામાં પડી ગઈ હતી. આવું જોઇને જસવંત સિંહ રાવતે પહેલ કરી હતી.

તેઓએ મશીનગનને લુંટવાનાં ઉદ્દેશથી આગળ વધ્યા હતાં. એમની સાથે લાન્સનાયક ત્રિલોક સિંહ તથા રાયફલમેન ગોપાલ સિંહ પણ હતાં. આ ત્રણેય જમીન પર ઢસડાતાં મશીનગનથી કુલ 10-15 ગજનાં અંતરે થંભ્યા હતાં. એમણે હાથગોળાઓથી ચીનનાં સૈનિકો પર હુમલો કર્યો હતો.

એમની LMG પોતાનાં કબજામાં લીધી હતી તેમજ એનાથી ગોળી પણ વરસાવવાં લાગ્યા હતાં. જસવંત સિંહ તથા એમનાં સાથીઓએ કુલ 300 ચીનનાં સૈનિકોને મારી પણ પાડ્યા હતાં, જ્યારે ગઢવાલ રાઇફલનાં માત્ર 2 જ સૈનિકો શહીદ થયા હતા જયારે કુલ 8 ઘાયલ પણ થયા હતાં.

જસવંત સિંહ રાવતે બહાદુરી બતાવતાં બેરક નંબર – 1, 2, 3, 4 તથા 5થી પણ સતત ગોળીઓનો વરસાદ કરીને કુલ 72 કલાક સુધી રોકી પણ રાખ્યા હતાં. સ્થાનિક મહિલા શીલાએ એમની ઘણી મદદ પણ કરી હતી. એમને દારૂગોળો તથા ખાદ્યની ઘણી સામગ્રીઓ પણ આપતી રહી હતી.

જસવંત સિંહે એટલી હદ સુધી પ્રહાર કર્યાં હતાં કે ચીનની સેનાને લાગતું હતું કે સમગ્ર સેના સામે લડી રહ્યું છે. વર્ષ 1962 માં થયેલ આ ભયંકર યુદ્ધમાં કુલ 162 સૈનિકો શહીદ થયાં હતાં તેમજ કુલ 1,264ને દુશ્મને કેદ પણ કરી લીધા હતાં.

ત્યાં મઠનાં ગદ્દાર લામાએ ચીનની સેનાને જણાવતાં કહ્યું કે એક આદમીએ તમારી સમગ્ર બ્રિગેડને કુલ 72 કલાક સુધી રોકીને રાખી છે. આ સમાચાર મળ્યા પછી ચીનની સેનાએ ચોકીને ચારબાજુથી ઘેરી પણ લીધી હતી. જસવંત સિંહ રાવતનું માથું કાપીને એમનાં સેનાનાયકની પાસે પણ લઇ ગયા હતાં.

ચીનની સેનાનો કમાન્ડર પોતે પણ આ સૈનિકની વીરતાને જોઇને નતમસ્તક થઈ ગયો હતો.નેફાની જનતા જસવંત સિંહ રાવતને દેવતા તરીકે પણ પૂજે છે. એમને ‘મેજર સાહેબ’ પણ કહેવામાં આવે છે. એમનાં સન્માનમાં ‘જસવંત ગઢ’ પણ બનાવવામાં આવ્યો છે. આની સાથે કહેવામાં પણ આવે છે, કે એમની આત્મા આજે પણ દેશને માટે સક્રિય રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *