Ahemdabad Gwalia Sweets News: અમદાવાદમાં ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. શહેરનાં સરખેજ વિસ્તાર નજીક રહેતા પટેલ પરિવારને (Ahemdabad Gwalia Sweets News) કડવો અનુભવ થયો છે. પરિવારનાં સભ્ય દ્વારા ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટૂરેમાંથી વંદો નીકળ્યો હોવાનો આરોપ થયો છે. છોલે ભટૂરેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા હોવાનો દાવો પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રાહકે ઓનલાઈન અપ્લિકેશન પરથી ફૂડ મંગાવ્યું હતું.
ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટૂરેમાં વંદા!
અમદાવાદનાં સરખેજ વિસ્તાર નજીક રહેતા પટેલ પરિવારનાં એક સભ્ય દ્વારા ઓનલાઇન એપ્લિકેશન થકી પ્રહલાદનગરમાં આવેલા ગ્વાલિયામાંથી છોલે ભટૂરેનો આર્ડર કરવામાં આવ્યો હતો.
પરિવારનો દાવો છે કે જ્યારે ખાવા માટે છોલે ભૂટેરેનું પેકેટ ખોલવામાં આવ્યું અને ચેક કર્યું તેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા હતા. આ ઘટનાનો ગ્રાહક દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ મામલે ગ્રાહકે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે.
લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો પર ક્યારે લાગશે લગામ?
નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વખત ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળી હોવાની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. જો કે, તેમ છતાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો તેમની હરકતોથી બાજ નથી આવી રહ્યા. ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે. નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા ઇસમો પર ક્યારે લગામ લાગશે ? તેવી ચર્ચા લોકો વચ્ચે થઈ રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App