જનતાની સમસ્યા સાંભળવાને બદલે ‘મારે સમય નથી, ફટાફટ બોલો’ ડાયલોગ મારનાર કલેકટરને જગદીશ ઠાકોરે ઘસકાવ્યા

Gandhinagar: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress) ધ્વારા સમગ્ર રાજ્યમાં જીલ્લા કલેકટર કચેરી ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર પરિવાર ને ૪ લાખ સરકાર સહાય…

Gandhinagar: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress) ધ્વારા સમગ્ર રાજ્યમાં જીલ્લા કલેકટર કચેરી ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર પરિવાર ને ૪ લાખ સરકાર સહાય આપે, મૃતક ના પરિવારના સદસ્ય ને સરકારી નોકરી મળે, દવાખાના ના બીલ માં વળતર અંગે ન્યાય પદયાત્રા કરી કલેકટર ને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ કરેલ હતો. આ અંતરગત ખુદ કોંગ્રેસ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ Jagdish Thakor અમુક ધારાસભ્યો સાથે ગાંધીનગર કલેકટર કચેરીએ પહોચ્યા હતા.

ત્યારે ગાંધીનગર કલેકટર કચેરી આવેલા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કલેકટરની આપખુદશાહી સામે આક્રોશ વ્યક્ત કરતા પોતાનો બળાપો ઠાલવ્યો હતો. અને કલેકટર ને ચોખ્ખા શબ્દોમાં વાકબાણ મારી દીધા હતા કે, ભાજપ સરકારમાં કલેકટર કે અધિકારીઓ ને કોંગ્રેસ પક્ષ ના પ્રતિનિધિ જયારે પ્રજા માટે રજૂઆત કરે તેમ છતાં વાત સાંભળવામાં રસ જ નથી, હવે તો કલેકટર કાર્યાલય ની જગ્યાએ ભાજપ કાર્યાલય લખવું જોઈએ.. આ પ્રજાના કાર્યાલય નથી પરંતુ ભાજપ ના કાર્યાલય છે તેવું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતના આઇએએસ અને આઇપીએસ ઓફિસરો પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. રાજકોટના કમિશનર આઇ.પી.એસ મનોજ અગ્રવાલ પર કમિશન લઈને કામ કરવાનો આરોપ લાગ્યો છે. જેને લઇને ઉચ્ચસ્તરીય તપાસ પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર કલેકટર ને કોંગ્રેસ નેતાઓના રોષનો ભોગ બનવું પડ્યું છે. જુઓ વિડીયો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *