એવી શું ઘટના ઘટી કે, કુદરતે ફક્ત ચાર દિવસમાં બે સગા ભાઈઓનાં લીધા જીવ -સમગ્ર ઘટના જાણીને રડી પડશો

કોરોના વચ્ચે હાલમાં રાજ્યમાં આવેલ જામનગરનાં મહેશ્વરીનગર વિસ્તારમાં વસવાટ કરતા 2 સગા ભાઈઓના ઝેરી તાવની બિમારીમાં મોત થયા છે. બન્ને બાળકોના મોત નીપજતાં તબીબો દ્વારા આ મામલે ઝીણવટપૂર્વેકની તપાસ કરવામાં આવી રહી છે.

એક જ પરિવારના 2 સગા ભાઈના ફક્ત 4 દિવસના સમયગાળામાં ઝેરી તાવને લીધે મોત થયું બહાર આવતા મહેશ્વરીનગર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઇ છે. ફક્ત 2 વર્ષના માસુમ બાળકને તાવ આવ્યા પછી તેનું મોત થયું હતું તેમજ સમગ્ર પરિવારમાં હજુ શોકનું વાતાવરણ ફેલાયેલું છે. આની સાથે જ 10 વર્ષના મોટા દીકરાનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

સારવાર વખતે થયા બાળકોના મોત :
સૌપ્રથમ 2 વર્ષીય આર્યન પ્રકાશભાઈ વિઝોડાને તાવ આવ્યા પછી જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં મોત નીપજતાં 10 વર્ષીય મોટા દીકરા ધનરાજ પ્રકાશભાઇ વિંજોડાને પણ તાવ આવતા તેને જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં ગઇકાલે તેનું મૃત્યુ થયું હતું.

તબીબોએ દુઃખ વ્યક્ત કર્યુ :
સમગ્ર મુદ્દે જામનગરની જી.જી. હોસ્પીટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો.ભદ્રેશ વ્યાસ સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, બન્ને બાળકોને અમારા વિભાગ દ્વારા આપવી જોઈતી સારવાર આપવામાં આવી છે પરંતુ આ દુઃ ખદ ઘટના ઘટી તેનું અમને પણ દુઃખ છે.

આ વિસ્તારમાં પાણીજન્ય રોગ ફેલાઈ રહ્યો હોય જેને લીધે આવું બની શકે છે. જો કે, તે તપાસનો વિષય રહેલો છે. મળી રહેલ જાણકારી મુજબ આ વિસ્તારમાં હજુ પણ કુલ 4 જેટલા બાળકોને તાવ આવતા હોય લોકો ચિંતામાં મુકાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *