જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- એક સાથે બે આંતકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના શોપિયા(Shopia)ના ચૌગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર(Encounter) શરૂ થયું છે. પોલીસ દ્વારા શનિવારે સવારે આ જાણકારી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર આ ઓપરેશનમાં બે આતંકીઓ ફસાયા હતા. હવે તેઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો દ્વારા આતંકીઓને ઠાર(Shooting terrorists) કરવામાં આવ્યા છે.

સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ બ્રીપોરાના સજ્જાદ અહમદ ચેક, શોપિયાંના રાજા બાસિત નઝીર અચન પુલવામા તરીકે કરવામાં આવી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગઈ કાલે એક એન્કાઉન્ટરમાં હિઝબુલ આતંકવાદી માર્યો ગયો હતો.

પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. નોંધપાત્ર રીતે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળ પર શોધખોળને વધુ તીવ્ર બનાવી, છુપાયેલા આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો, જવાબી કાર્યવાહીમાં, એન્કાઉન્ટર ફાટી નીકળ્યું.

આ પહેલા શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો હતો.પોલીસે જણાવ્યું હતું કે તે એક પોલીસ ઈન્સ્પેક્ટર અને બીજેપી કાર્યકરો અને અન્ય લોકોની હત્યામાં સામેલ હતો.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જિલ્લાના અરવાણી વિસ્તારના મુમનહાલ ગામમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *