કાશ્મીરમાં આંતકીઓ બન્યા બેફામ, વધુ એક હિંદુની ગોળી મારી કરાઈ હત્યા

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કુલગામ(Kulgam) જિલ્લામાં ગુરુવારે રાજસ્થાનના એક બેંક કર્મચારી(Bank employee)ની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક દેહાતી બેંકના કર્મચારી વિજય કુમારને બેંક પરિસરની અંદર ગોળી મારી દેવામાં આવી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. તેમણે કહ્યું કે ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ખીણમાં આતંકવાદીઓ દ્વારા સરકારી કર્મચારીઓ અને નોકરી કરતા લોકોને સતત નિશાન બનાવવામાં આવે છે.

આ ઘટના પહેલા, આતંકવાદીઓએ મંગળવારે જ કુલગામ જિલ્લામાં એક સ્થળાંતરિત કાશ્મીરી પંડિત શિક્ષકની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે કુલગામ જિલ્લાના ગોપાલપુરમાં રજની બાલા (36) પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં તેણી ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. રજની બાલા ગોપાલપુરમાં શિક્ષિકા તરીકે પોસ્ટેડ હતી. પોલીસે જણાવ્યું કે વિસ્તારને ઘેરી લીધા બાદ હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં બીજી વખત કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી. 12 મેના રોજ બડગામ જિલ્લાના ચદૂરા તાલુકામાં તહસીલદારની ઓફિસમાં રાહુલ ભટ્ટની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મે મહિના દરમિયાન કાશ્મીરમાં અત્યાર સુધીમાં સાત ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી છે. જેમાં ચાર નાગરિકો અને ત્રણ પોલીસકર્મી હતા જેઓ ફરજ પર ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *