Jamun Seeds Benefits: ચોમાસાની ઋતુમાં લોકો મૌસમી ફળો ખાવાની મજા લેતા હોય છે. આ સિઝનમાં જાંબુ મોટા પ્રમાણમાં બજારમાં આવે છે, મોટાભાગના લોકો જાંબુ (Jamun Seeds Benefits) ખાય તેના ઠળિયા ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો આ ઠળિયા સ્વાસ્થ માટે કેટલા ફાયદાકારક છે. આ ઠળિયાનો પાવડર બનાવી ઉપયોગ કરી શકાય છે. આ પાવડર તમારા સ્વાસ્થ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી બચાવવાનું કામ કરે છે. આ ઠળિયામાં અનેક ઔષધિયો ગુણ હોય છે. આ ઠળિયા સ્વાસ્થને ખુબ ફાયદો પહોંચાડે છે.
આ ઠળિયામાંથી પાવડર બનાવી અનેક બીમારીઓમાં રામબાણ ઔષધીઓ તરીકે કામ કરે છે. ચાલો જાણીએ કે, જાંબુના ઠળિયાના પાવડરથી તમે અનેક બિમારીઓથી છુટકારો મેળવી શકો છો.
ડાયાબિટીસ
આ પાવડર લેવાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાવડર ખુબ ફાયદાકારક છે. તમે એક ચમચી જાંબુના ઠળિયાના પાવડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લઈ શકો છો.
પેટ માટે ફાયદાકારક
આ પાવડર તમારા પેટ માટે પણ ખુબ ફાયદાકારક છે. તમને કબજિયાત, અપચો અને એસિડિટીની સમસ્યામાંથી રાહત અપાવે છે, આ પાવડર તમારું પેટ પણ સાફ રાખે છે. જાંબુના પાવડરથી પાચનતંત્ર પણ સારું રહે છે.
માનસિક સ્વાસ્થ્ય
આ પાવડર તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારો છે. આ થાક અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે. તમે જાંબુના ઠળિયાનો ઉકાળો કરીને પણ પી શકો છો, તમને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચાવે છે.
વજન ઘટાડવામાં મદદ
વજન ઘટાડવામાં મદદ કરે છે જાંબુના ઠળિયામાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે, જેના કારણે તે પેટને સુરક્ષિત રાખવામાં અને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.
કેવી રીતે બનાવવો જાંબુના ઠળિયાનો પાવડર?
જાંબુના ઠળિયાને ધોઈને આછા કપડાથી ઢાંકીને તડકામાં સૂકવો. જ્યારે ઠળિયા સંપૂર્ણપણે સૂકાઈ જાય ત્યારે ટુકડા કરી લો પછી તેમને ગ્રાઇન્ડર માં પીસી લો, જેથી તે પાવડર થશે. આ ચુર્ણને પાણી સાથે સવારે ખાલી પેટ સેવન કરો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App