લગ્ન પછી પરિવારથી જુદા રહેવાનું કહેતા પતિએ પત્નીને મારી ગોળી- જીવન અને મોત વચ્ચે જઝૂમી રહી છે પત્ની

એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના બહાદુરગઢ પાસેના ટાંડાહેડી ગામમાં પતિએ પત્નીને ગોળી મારી દીધી. ગોળી વાગતાં જ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની હાલત ખુબ જ નાજુક છે. મામલો ઘરેલું વિવાદનો હતો. પોલીસે ઇજાગ્રસ્ત મહિલાના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. હાલ આરોપી પોલીસની પકડની બહાર છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ઇજાગ્રસ્ત મહિલા નીતુ અને તેના પતિ વિરેન્દ્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે સમગ્ર ઘટના બની હતી. ઘટના બાદ એસપી વસીમ અકરમએ સ્ટેશન ઓફિસર પાસેથી સમગ્ર મામલાની માહિતી લીધી હતી અને કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા.

પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ પીડિતાના પતિના ઘરમાં 18 સભ્યો છે. વીરેન્દ્ર અને નીતુના લગ્ન લગભગ સાત વર્ષ પહેલા થયા હતા. તેને બે પુત્રો છે. નીતુ સંયુક્ત પરિવારથી દૂર રહેવા માંગતી હતી. જ્યારે તે પરિવારમાં કામ કરીને કંટાળી જતી ત્યારે તે પરિવારથી અલગ થવાની વાત કરતી હતી, જેના પર ઝઘડો થતો હતો. ગુરુવારે સવારે પણ તેણી આ મુદ્દે જ ઝઘડી રહી હતી.

જેના કારણે ગુસ્સામાં વિરેન્દ્રએ તેને ગોળી મારી દીધી હતી. ગોળી માથાના પાછળના ભાગેથી આરપાર થઈ ગઈ હતી અને તે લોહી-લુહાણ થઇ ને જમીન પર પડી ગઈ હતી. સંબંધીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. પોલીસે વીરેન્દ્ર સામે ખૂની હુમલો અને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપસર ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *