વર્ષો જુના ગણપતિ દાદાના આ મંદિરમાં માત્ર ચિઠ્ઠી લખીને મુકવાથી દાદા જીવનની દરેક મનોકામના કરે છે પૂરી

ગુજરાતમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને દર્શન કરીને તેઓના જીવનની દરેક પરેશાનીઓ દૂર કરતા હોય…

ગુજરાતમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને દર્શન કરીને તેઓના જીવનની દરેક પરેશાનીઓ દૂર કરતા હોય છે. આજે આપણે એવા જ એક ગણપતિ દાદાના મંદિર વિશે વાત કરીશું. આ મંદિર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલું છે.

આ મંદિરમાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે, ગણપતિ દાદાના આ મંદિરમાં ભક્તો ગણપતિ દાદાને પત્ર લખીને પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે તો ગણપતિ દાદા દરેક ભક્તના જીવનમાં આવતા તમામ દુ:ખ દૂર કરે છે.

ગણપતિ દાદાનું આ મંદિર રાજકોટથી લગભગ 125 કિલોમીટરના અંતરે આવેલું છે. આથી, હજારોથી વધુ ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા માટે આ મંદિરની મુલાકાત લે છે. મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાનો મહિમા આજે પણ અનોખો છે. જો આ મંદિરના ઈતિહાસ વિશે વાત કરીએ તો આ મંદિરમાં ગણેશજી સ્વયંભૂ બિરાજમાન થયા છે.

ગણેશજીનું આ મંદિર લગભગ પાંચ હજાર વર્ષ જૂનું માનવામાં આવે છે. મંદિરમાં ગયા પછી દરેક ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગણપતિ દાદાને પત્ર લખે છે અને તે પત્ર મંદિરના પૂજારી દ્વારા ગણપતિ દાદાની સામે બેસીને વાંચવામાં આવે છે. તે વાંચતાની સાથે જ ગણપતિ દાદા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *