મેલડી માતાના આ મંદિરે દર્શન કરવા માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ થાય છે પૂર્ણ- જાણો તેની પાછળનું ચમત્કારિક રહસ્ય

જોવા જઈએ તો આપણા દેશમાં ઠેર ઠેર ભગવાનના મંદિરો આવેલા છે અને આ દરેક મંદિરમાં અલગ-અલગ રહસ્યો છુપાયેલા હોય છે. દરેક મંદિરમાં ભક્તો ભગવાનના દર્શન…

જોવા જઈએ તો આપણા દેશમાં ઠેર ઠેર ભગવાનના મંદિરો આવેલા છે અને આ દરેક મંદિરમાં અલગ-અલગ રહસ્યો છુપાયેલા હોય છે. દરેક મંદિરમાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આવું જ એક મંદિર સામાકાંઠાની મેલડી માતાનું મંદિર વસ્તડી ગામમાં આવેલું છે. આ મંદિરમાં સામાકાંઠાની મેલડી માતાના દર્શન કરવા માટે રવિવારના દિવસે ભક્તોની મોટી ભીડ જોવા મળે છે.

આ મેલડી માતાજીના મંદિરમાં દર્શન કરવા આવતા લોકોની તમામ મનોકામના પૂર્ણ થાય છે, એટલે અહીં એવું માનવામાં આવે છે કે, આ મેલડી માતાના મંદિરમાં જે માનતા રાખવામાં આવે તે પુરી થાય છે એટલે દુરદુર સ્થળેથી ભારે ભક્તો મેલડી માતાની માનતા રાખવા માટે આવે છે.

આ મંદિરમાં ભક્તો પોતાની રીતે અલગ અલગ માનતા રાખતા હોય છે.  ઉદાહરણ તરીકે જે લોકોને સંતાન પ્રાપ્તિ ના થતી હોય એવા લોકો આ મંદિરમાં માનતા રાખવા માટે આવતા હોય છે. જે લોકોના લગ્ન ના થતા હોય, કે કોઈ વસ્તુ કે વ્યક્તિ ગાયબ થઇ ગઈ હોય તો આ તમામ પ્રકારની માનતા માનવા માટે ભક્તો મેલડીમાતાના મંદિરે આવે છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મેલડીમાતાજીના આ મંદિરમાં એવું માનવામાં આવે છે કે, અહીં જે માનતા રાખી હોય એ દરેક ભક્તોની મેલડીમાતા માનતા પુરી કરે છે એટલે કે આ મંદિરમાં આજે પણ મેલડીમાતા સાક્ષાત પરચા અને આશીર્વાદ આપે છે. એટલે બધા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આથી સામાકાંઠાની મેલડી માતા બધા ભક્તોના દુઃખો દૂર કરીને જીવન સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *