વીજળી બિલમાંથી મુક્તિ…PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાની એક ક્લિક પર જાણો A to Z માહિતી

PM Sury Ghar Yojana: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં સૂર્ય ઘર મફત વીજળી યોજના (પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના) શરૂ કરી હતી. આ યોજના (PM Sury Ghar Yojana) હેઠળ એવું કહેવામાં આવી રહ્યું હતું કે 300 યુનિટ સુધી મફત વીજળી આપી શકાય છે અને સોલર રૂફટોપ લગાવવા માટે સરકાર સબસિડી પણ આપશે. આ સબસિડીની રકમ 78000 રૂપિયા સુધીની હશે. હવે આ સ્કીમ અંતર્ગત એક નવું અપડેટ સામે આવ્યું છે. સરકાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વહેલી તકે સબસિડી આપવા માટે કામ કરી રહી છે. ત્યારે તમારે આ માટે વધુ રાહ જોવી પડશે નહીં.

સરકાર કુલ 75,021 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
આ સરકારી યોજના હેઠળ શહેરોથી ગામડાઓ સુધીના ઘરો પર સોલાર પેનલ દ્વારા વીજળીના બિલમાં મોટી બચત થશે. આ યોજના હેઠળ સરકાર કુલ 75,021 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ મેળવવા માગો છો, તો ચાલો તમને જણાવીએ કે તમારે તેના માટે કેવી રીતે અરજી કરવી.

આ રીતે કરો ઓનલાઈન અરજી
1. સૌથી પહેલા તમારે રાષ્ટ્રીય પોર્ટલ www.pmsuryagarh.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

2. આ કામ રાજ્ય અને વીજળી વિતરણ કંપનીને પસંદ કરીને કરવાનું રહેશે.

3. તમારો વીજ ગ્રાહક નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરવાનું રહેશે.

4. રજીસ્ટ્રેશન થયા બાદ વ્યક્તિ ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગિન કરી શકે છે.

5. ગ્રાહક પોર્ટલ પર ફોર્મ ભરીને રૂફટોપ સોલર માટે અરજી કરી શકે છે.

6. ત્યારબાદ તમારે સ્થાનિક ડિસ્કોમની મંજૂરીની રાહ જોવી પડશે. સરકારે કહ્યું કે એકવાર મંજૂરી મળ્યા બાદ તેના ડિસ્કોમમાં કોઈપણ રજિસ્ટર્ડ વિક્રેતા પાસેથી સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનો રહેશે.

સબસિડી કેવી રીતે મેળવવી
પેનલમાં સમાવિષ્ટ વિક્રેતાઓની યાદી પોર્ટલ પર છે. રાષ્ટ્રીય પોર્ટલ યોગ્ય સિસ્ટમ સાઈઝ, લાભ કેલ્ક્યુલેટર, વિક્રેતા રેટિંગ વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં મદદ કરશે. ઈન્સ્ટોલેશન બાદ ગ્રાહકે પ્લાન્ટની વિગતો જમા કરાવવાની રહેશે અને નેટ મીટર માટે અરજી કરવી પડશે.નેટ મીટર લાગ્યા બાદ અને ડિસ્કોમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી પોર્ટલ પર કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવશે. કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત થવા પર, ગ્રાહકે પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક જમા કરવાનો રહેશે. તમને 30 દિવસની અંદર બેંક ખાતામાં સબસિડી મળશે.