12 દિવસમાં ધૂળ ચાટતી થઇ ગઈ આમીરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ – ફિલ્મની કમાણી જોઈ દેશ છોડવાની તૈયારીમાં આમીર ખાન?

Laal Singh Chaddha Box Office Collection: આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા તેની રિલીઝના બીજા સપ્તાહમાં સંપૂર્ણપણે ધૂળ ચાટતી થઇ ગઈ છે. હવે લાલ સિંહ ચઢ્ઢા પાસેથી અપેક્ષાઓ ન રાખો તો સારું રહેશે, કારણ કે ફિલ્મની કમાણીમાં જે ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે તે જોઈને લાગે છે કે ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાંથી દુર થઈ શકે છે.

ફિલ્મની કમાણી કેવી રહી?
લાલ સિંહ ચઢ્ઢાને રિલીઝ થયાને 12 દિવસ થઈ ગયા છે અને ફિલ્મ હજી 60 કરોડનો આંકડો પાર કરી શકી નથી. 12માં દિવસે લાલ સિંહ ચઢ્ઢાની કમાણી કરોડોથી ઘટીને લાખોમાં પહોંચી ગઈ છે. ફિલ્મે 12મા દિવસે (22 ઓગસ્ટ) માત્ર 70 લાખની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું કલેક્શન અત્યાર સુધી માત્ર 56.70 કરોડનું જ થયું છે. લાલ સિંહ ચઢ્ઢા 12 દિવસમાં 60 કરોડ પણ કમાઈ શકી નથી. ફિલ્મની આટલી ઓછી કમાણી માત્ર આમિર અને મેકર્સ માટે જ નહીં, ચાહકો માટે પણ ચોંકાવનારી છે. લાલ સિંહ ચઢ્ઢાની સોમવારની કમાણીએ હવે તમામ અપેક્ષાઓ તોડી નાખી છે.

લોકોએ આમિરનું કઈ સાંભળ્યું નહિ…
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ ટ્વિટર પર લાલ સિંહ ચઢ્ઢાના બહિષ્કારનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો, જેની અસર ફિલ્મની કમાણી પર સ્પષ્ટ દેખાઈ રહી છે. બહિષ્કારના વલણને જોતા, આમિરે પણ લોકોને ફિલ્મની રજૂઆત સમયે લાલ સિંહ ચઢ્ઢા જોવાની અપીલ કરી હતી, પરંતુ આમિરની વિનંતીની પણ લોકો પર કોઈ અસર થઈ ન હતી. દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરમાં પણ જતા નથી. ઘણા શો ખાલી હોવાના કારણે કેન્સલ કરવા પડ્યા છે, તો હવે તમે જ વિચારો કે ફિલ્મ કેટલી ખરાબ રહી છે.

હાલ એવા સમાચાર પણ મળ્યા છે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ ની ભવ્ય નિષ્ફળતા બાદ આમીર આરામ માટે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યો છે, અને આમિર ત્યાં લાંબા સમય માટે રોકાઈ શકે છે. આ સમાચાર સામે આવતા જ લોકોએ આમિરને ઉધડો લીધો હતો, અને ભાતભાતની વાતો કરી હતી. કોઈએ કહ્યું- લાલ સિંહ ચઢ્ઢાની કમાણી જોઇને આમીર દેશ છોડીને જઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *