કેમ આજે યોજાનારી શપથવિધિનું કોકડું ગૂંચવાયું? શું નવા મંત્રિમંડળને લઈને નારાજ છે નેતાઓ?- જાણો કારણ

ગુજરાત(Gujarat): રાજ્યમાં મંત્રી મંડળ(Cabinet)ની શપથ વિધિ આજે મુલતવી રાખવામાં આવી છે. પરંતુ એવું તો શું થયું કે રાજભવન ખાતેથી શપથ વિધિના પોસ્ટર્સ પણ હટાવી દેવામાં આવ્યા છે. છેલ્લી ઘડીયે શપથ વિધિના કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજભવન ખાતે આજે મુખ્ય મંત્રી મંડળના નવા મંત્રી જાહેર કરીને મંત્રીઓનો શપથ વિધિ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો તે આજે મુલવતી રાખવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આજના કાર્યક્રમની પૂરતી તૈયારી કરી લેવામાં આવી હતી. સાથે જ મહેમાનો માટેની બેઠક વ્યવસ્થા પણ શરુ કરી દેવામાં આવી હતી અને ફુલહારથી લઈને બધી જ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. શપથવિધિના કાર્યક્રમ પર મીડિયા સહીત સૌની નજર મંડાયેલી હતી ત્યારે અચાનક જ આ કાર્યક્રમને આવતી કાલે એટલે કે ગુરુવાર પર મુલતવી રાખવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, નવી માહિતી મુજબ આવતી કાલે 1:30 વાગે શપથ વિધિ યોજવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદ સંભાળ્યાના માત્ર ચોવીસ જ કલાકમાં ભાજપની ટોચની નેતાગીરીની નારાજગી સામે આવી ગઈ હતી અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અને ભૂતપૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ નારાજ નેતાઓની પ્રથમ હરોળ હતા. તેમની નારાજગી ને રાજીપામાં ફેરવવા માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ભુપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાઓને રાજી કરવા માટે ત્રણ કલાકની ભારે જહેમત કરવી પડી હતી.

જયારે બીજી બાજુ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શંકરસિંહ વાઘેલાને મળ્યાની પણ આશંકા હતી. રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંડળમાં સામેલ થવા માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા હોવાની અટકળોએ પણ ચર્ચા પકડી હતી હતી તથા તેમને સરકારમાં નંબર-૨નું સ્થાન અપાય તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી.

નવા મંત્રી મંડળમાં આર.સી.ફળદુ- જામનગર દક્ષિણ, પ્રદીપસિંહ જાડેજા- વટવા, ગણપત વસાવા- માંગરોળ- સુરત, જયેશ રાદડિયા- જેતપુર, દિલિપ ઠાકોર- ચાણસ્મા, જવાહર ચાવડા- માણાવદર, હકુભા જાડેજા- જામનગર ઉત્તર, રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા, કિરિટસિંહ રાણા- લીંબડી, જીતુ વાઘાણી- ભાવનગર દક્ષિણ, નીમાબેન આચાર્ય- ભુજ, આત્મારામ પરમાર- ગઢડા, પંકજ દેસાઇ- નડિયાદ, આર.સી.મકવાણા- મહુવા- ભાવનગર, જે.વી.કાકડિયા- ધારી, ઋષિકેશ પટેલ- વિસનગર, શશિકાંત પંડયા- ડીસા , બ્રિજેશ મેરજા- મોરબી, જીતુ ચૌધરી- કપરાડા, મોહન ઢોડિયા- મહુવા- સુરત, હર્ષ સંઘવી- મજૂરા, કિર્તિસિંહ વાઘેલા- કાંકરેજ, ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ, રાકેશ શાહ- એલિસબ્રિજ, દેવા માલમ- કેશોદ, ગોવિદ પટેલ-રાજકોટ દક્ષિણ, જગદીશ પટેલ-અમરાઈવાડી, નિમીષા સુથાર-મોરવાહડફ, સંગીતા પાટીલ- લિંબાયત ને સ્થાન મળી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *