ગુજરાતભરમાં બારે મેઘ થશે ખાંગા: ઓગસ્ટમાં મેઘરાજા બતાવશે રૌદ્રસ્વરૂપ- અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel rain forecast in gujarat: ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. કેટલાક શહેરોમાંતો મેઘતાંડવ જોવા મળ્યુ તો કેટલાક શહેરોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે…

Ambalal Patel rain forecast in gujarat: ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. કેટલાક શહેરોમાંતો મેઘતાંડવ જોવા મળ્યુ તો કેટલાક શહેરોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.(Ambalal Patel rain forecast) બંગાળના ઉપસાગરમાં એક પછી એક નવી સિસ્ટમ સક્રિય થવાની આગાહી ઓગસ્ટ મહિનામાં પણ છે.

ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે તેવું અંબાલાલ કહ્યું છે, આને લઇને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે.બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે અને તેને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની ફરી એકવાર વરસાદની આગાહી
6 અને7 ઓગસ્ટમાં ભારે પવન ફૂંકાશે અને દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે તેવું લાગી રહ્યું છે. આ સાથે જ પૂર્વ ભારતના ભાગોમાં બિહાર, પશ્ચિમ બંગાળ આસામમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. 3 ઓગસ્ટના રોજ એટલે કે આજે પવન ફૂંકાવાની અને 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આશ્રેશા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક
તે ઉપરાંત એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે, આશ્રેશા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે ખુબ નુકસાનકારક છે, 6-7-8 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ તો ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ માટે સારુ
અંબાલાલ પટેલે ખેડૂતો માટે જણાવ્યું કે, 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે અને સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. તેમના મુજબ, 23 ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદનું જોર પણ ઘટશે. જો કે, ઝાંપટા પડી શકે છે.

27થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને 30-31માં રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેશે. જો કે હાલમાં સતત વરસાદના કારણે કૃષિ પાકને ઘણું નુકસાન થયુ છે. હવે વરસાદ વિરામ લે તેની ખેડુતો રાહ જોઈએ રહ્યા છે. પરંતુ ઓગસ્ટ મહિનામા પણ વરસાદને લઈ અંબાલાલની આગાહી હવે ખેડૂતો માટે ચેતવણીરૂપ બનીને રહી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *