‘આ લોકોને ક્યાં ખબર હતી કે, પાંચ કિમી દુર મોત રાહ જોઈ રહી છે’ સાંભળો બસ અકસ્માત ને નજરે જોયેલા શખ્સે શું કહ્યું?

મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ધાર (Dhar) જિલ્લાના ઈન્દોર-ખરગોન (Indore-Khargaon) વચ્ચે સોમવારે સવારે થયેલા એક ભયાનક અકસ્માતમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર ડેપોની બસ ઈન્દોરથી પુણે (અમલનેર) જઈ રહી હતી. આ દરમિયાન બસ ખાલઘાટ પાસે કાબુ બહાર જઈને રેલિંગ તોડીને નર્મદા નદીમાં ખાબકી હતી.

અકસ્માતના અડધા કલાક પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઈન્દોરથી ઉપડતી બસ અકસ્માત સ્થળના 5 કિમી પહેલા મધુબન ધાબા પર ઉભી રહી હતી. અહીંથી 10 મિનિટ પછી, તે ટોલ પાર કરીને પુલ પર પહોંચે છે. અહીં ધામનોદમાં અકસ્માતનો ભોગ બનેલી બસ મુસાફરો સાથે નદીમાં સમાઈ જાય છે. અને ચારેબાજુ હાહાકાર મચી જાય છે.

બ્રિજથી થોડે દૂર રહેતા ઋષિ પાટીલ સૌ પ્રથમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઋષિએ અકસ્માત અંગે અમલનેર બસ ડેપોને જાણ કરી હતી. જે બાદ રેસ્ક્યુ ટીમ બસને હટાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. જાણો ઋષિ પાટીલ પાસેથી અકસ્માતની કહાની…

‘હું ખલઘાટનો રહેવાસી છું, મારું ઘર પુલથી થોડે દૂર છે. સવારે 10 વાગ્યાની આસપાસ એક બસ પુલ પરથી પડી હોવાની માહિતી મળી હતી. હું પુલ પર દોડી ગયો. રેલિંગ તૂટી ગઈ હતી. મેં નીચે જોયું તો બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તે ઉપરથી થોડું થોડું દેખાતું હતું. બસ મહારાષ્ટ્ર ડેપોની હોવાનું લાગી રહ્યું હતું. હું મહારાષ્ટ્ર અને ત્યાંથી મુસાફરી કરું છું, તેથી જાણતો હતો કે આ ઇન્દોર અમલનેર બસનો સમય છે. મેં અમલનેર ડેપોને ફોન કર્યો. ડેપોના કાર્યકરો સક્રિય બન્યા હતા. મેં અકસ્માતની માહિતી સોશિયલ ગ્રૂપ પર પણ પોસ્ટ કરી હતી. જે બાદ લોકોના ફોન આવવા લાગ્યા. મારી સામે અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બસ ઈન્દોરથી અમલનેર જઈ રહી હતી. મને ત્યાં સવારીની સંખ્યા ખબર છે. બસમાં 40 લોકો હશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *