અહિયાં સીધી જતી ટ્રેન અચાનક ઉંધી દોડવા લાગી, પછી જે થયું તે…

સામન્ય રીતે તમે જાણતા હશો કે ટ્રેન હમેશા સીધી જ ચાલે, પરંતુ ખરેખર એવું હોતું નથી. અહિયાં પણ એક એવી જ ઘટના બની છે. મધ્યપ્રદેશના…

સામન્ય રીતે તમે જાણતા હશો કે ટ્રેન હમેશા સીધી જ ચાલે, પરંતુ ખરેખર એવું હોતું નથી. અહિયાં પણ એક એવી જ ઘટના બની છે. મધ્યપ્રદેશના રતલામ રેલ્વે સ્ટેશન પર આ પ્રકારની ઘટના બની છે. જ્યાં એક માલગાડી ટ્રેને પાછળનો ગિયર લાગ્યો હતો. આ પછી, ટ્રેન પાછળથી લખડાતી લખડાતી રેલ્વે સ્ટેશનની કેબિન સાથે અથડાઈ હતી.

જયારે આ ઘટના સર્જાણી, તે સમયે આ ટ્રેન ઉંધી દોડવા લાગી અને દરેક પાટા તૂટવાથી ટ્રેન ગમે તે દિશામાં જવા લાગી. રેલ્વે ટ્રેકને નુકસાન તો થયું સાથે સાથે બે ઇલેક્ટ્રિક પોલ્સ પણ તોડી નાખ્યા હતા. રેલ્વેના એક બિલ્ડિંગ (કેબિન) ને પણ નુકસાન કર્યું હતું. ઉલેખનીય એ હતું કે આ અકસ્માતમાં કોઈને થોડી પણ ઈજા પહોંચી નથી.

ત્યારબાદ થોડા સમય પછી, જયપુર-ભોપાલ ઇન્ટરસિટી એક્સપ્રેસ આ લાઈનમાંથી પસાર થવાની હતી, જો તે ટ્રેન આવે તો ભયંકર અકસ્માત થઈ શકતો હતો. જોકે, અકસ્માત બાદ રતલામ-નાગડાનો રેલ્વે ટ્રાફિક ખોરવાઈ ગયો છે, જેના કારણે કેટલીક ટ્રેનો દોડાવવામાં વિલંબ થયો હતો. ખરેખર કયારેક-કયારેક આપણને લાગે કે થોડી વાર તંત્ર થી થોડી ભૂલ થાય તો ઘણી મોટી ઘટના સર્જાતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *