હજારો દીકરીના પાલક પિતા મહેશભાઈ સવાણીને આવ્યો હ્રદયરોગનો હુમલો- પ્રભુ રક્ષા કરે

ગુજરાત(Gujarat): સુરત(Surat) શહેરમાં અનાથ દીકરીઓના લગ્ન કરાવનાર સામાજિક આગેવાન અને પાટીદાર ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી(Mahesh Savani)એ ગઈ કાલે મોડી રાત્રે તેના મિત્રો અને પરિવારજનોને હ્રદયમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં તેમને હ્રદયમાં વધુ પડતો દુઃખાવો થતા સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. હાર્ટ એટેક(Heart attack) આવતાની સાથે જ ડોકટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. પરિવારજનો અને શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પીપી સવાણી હોસ્પિટલ(PP Savani Hospital) પહોંચ્યા છે. જો કે તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

પરિવારજનો અને શુભેચ્છકો ચિંતામાં મુકાયા:
મહેશભાઈ સવાણીની તબિયત અચાનક બગડતાં પરિવારજનો પણ ચિંતિત બન્યા છે. વલ્લભભાઈ સવાણી સહિત પરિવારના તમામ સભ્યો હવે હોસ્પિટલ પહોંચી ગયા છે. ડોકટરોની ટીમ સતત તેની દેખરેખ રાખી રહી છે. સવારે તબીબો દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

હજારો દીકરીના પાલક પિતાને ICUમાં શિફ્ટ કરાયા:
વિપુલ તળાવિયા પી.પી. સવાણી હોસ્પિટલના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી તેમની તબિયત થોડી વધુ ખરાબ જણાઈ રહી છે. ગઈકાલે સવારે મહેશભાઈએ તેમની પત્નીને અગાઉથી જ કહી દીધું હતું કે મને લાગે છે કે એટેક ગમે ત્યારે આવી શકે છે. આ ઉપરાંત સવારે તેમના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તો બપોરે સુગર હાઈ આવ્યા બાદ એમને સાંજે પી. પી. સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવવામાં આવ્યા હતા.

સંજયભાઈ વાઘાણી દ્વારા તેઓનું નિદાન થતા પરિવારજનો પૈકી તેમના પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હજાર હોઈ તેમને હ્રદયના એટેક હોઈ એવી જાણ થતાંની સાથે જ તેઓને તુરંત એડમિટ કરીને એ સંદર્ભે વિશેષ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓની એન્જીયોપ્લાસ્ટી કરીને મોડીરાત્રે તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *