મલાઇકા અરોરાના પિતાએ ધાબેથી પડતું મૂકી કર્યો આપઘાત: એક્ટ્રેસ પુણેથી મુંબઈ જવા રવાના

Malaika Arora’s Father Death: મલાઈકા અરોરાના ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીના પિતા હવે આ દુનિયામાં નથી. તેમણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના આજે સવારે 9 વાગ્યાની આસપાસની છે. અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા (Malaika Arora’s Father Death) અનિલ અરોરાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં, પોલીસને ત્યાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા ઘણા સમયથી બીમાર હતા.

આ ઘટના સમયે અભિનેત્રી મુંબઈમાં હાજર ન હતી. આ સમાચારની જાણ થતાં જ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ છે. અભિનેતાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો છે. અરબાઝ ખાન મલાઈકાના ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો. અભિનેતા તેની પૂર્વ પત્નીના ઘરે કેમ ગયો હતો તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું. હવે તેનું કારણ સામે આવતાં સર્વત્ર શોકનો માહોલ છે.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારના હતા. તેમનો પરિવાર ભારતની સરહદ પર આવેલા ફાઝિલકાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો. અનિલ અરોરાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા, જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે.