જાણો એવું તો શું થયું કે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિને તાત્કાલિક સુરત આવવું પડ્યું?

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીના ઘરે કોરોના આવ્યો છે. મંત્રી કુમાર કાનાણીના પુત્રવધુ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમની હાલ સુરત ખાતે સારવાર ચાલી રહી છે. મંત્રી કાનાણી છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર જ રહે છે. તો બીજી તરફ, સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સતત વધી રહેલા આ કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ સાથે સુપરસ્પ્રેડની સંભાવનાઓની આશંકા વ્યક્ત કરી હતી અને પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત ઓછી કરવા અંગે ઈશારો આપ્યો હતો.

આજે રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા હતા. કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાના કારણે સરકારી હોસ્પિટલોની સાથે પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યામાં પણ વધારો કરવા અંગેની તૈયારી તેઓએ કહ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ખરાબ પરિસ્થિતિમાં પણ સારી રીતે કરી શકાય એ માટે પ્રાઈવેટ હોસ્પિટલો સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. સુરતના કિરણ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સાથે પણ હાલ સંકલન થઇ રહ્યું હોવાનું જયંતિ રવિએ જણાવ્યું હતું.ત્યાર બાદ આ બંને મોટી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર થઇ શકશે.

તમારા માટે:

સુરતમાં ખાસ કરીને કતારગામ વિસ્તારમાં સૌથી વધુ કેસ વધી રહ્યા છે. જેમાં રત્ન કલાકારોને વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જે અંગે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ત્યાં હાલ સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે. મેડિકલ તપાસ સહિત સ્ક્રીનિંગની કામગીરી પણ વધારવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું છે. સાથે આયુષ મંત્રાલય દ્વારા જે દિશા નિર્દેશને દવાઓ અંગે જાણકારી આપવામાં આવી છે તે પણ આપવામાં આવી રહી છે. વધુમાં અન્ય રાજ્યની મુકાબલે ગુજરાતમાં પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત વધારે હોવા પર તેઓએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે તેની લેખિતની રાહ સરકાર જોઇ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવશે. ત્યારબાદ આ ટેસ્ટની કિંમત ઓછી કરવા અંગે કાર્યવાહી હાથ ધરાશે.

સુપરસ્પ્રેડરની સંભાવનાઓ અંગે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, વધારે લોકો જ્યારે સંપર્કમાં આવે ત્યારે તેની શક્યતા વધે છે. જેથી સ્ક્રિનિંગ સર્વેલન્સ વધારવાની જરૂરિયાત છે અને કોરોનાના લક્ષણો દેખાતા સમયસર સારવાર કરવામાં આવે. સુરત સિવિલમાં કોરોના વોર્ડની ખરાબ પરિસ્થિતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે, સિવિલના ડોકટરો સાથે ચર્ચા કરવામાં આવી છે. જેથી કરી તેઓને બચાવી શકાય. લોકો સારવારમાં વિલંબ ના કરે અને તાત્કાલિક સારવાર કરાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *