ભંગારમાં જશે તમારી જૂની ગાડી, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો નિયમ

જો તમારી કાર જૂની છે તો તે ભંગારમાં જઈ શકે છે. આ માટે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નીતિ લઈને આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ નીતિ અંગે લાંબા સમયથી વાત કરવામાં આવી રહી છે.

જો કે હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે આ નીતિ જલ્દીથી લાગુ કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે એ પણ માહિતી આપી હતી કે વાહનોની ભંગાર પોલિસી માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને તમામ સંબંધિત પક્ષોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

આ અગાઉ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે સરકાર જૂના વાહનોને કચરામાં ફેરવવાની નીતિ લાવવા તૈયાર છે. આ અંતર્ગત બંદરોની નજીક રિસાયક્લિંગ કેન્દ્રો બનાવી શકાય છે. ગડકરીએ કહ્યું કે જૂની કાર, ટ્રક અને બસો ભંગારમાં ફેરવાશે.

ગડકરીના જણાવ્યા મુજબ સરકારે દેશના બંદરોની ઊંડાઈમાં 18 મીટર વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, વાહનોને ભંગાર બનાવતા રિસાયક્લિંગ પ્લાન્ટ્સ બંદરોની નજીક સ્થાપિત કરી શકાય છે. આમાંથી મેળવાયેલી સામગ્રી ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ઉપયોગી થશે કારણ કે તેનાથી કાર, બસો અને ટ્રકના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની સ્પર્ધાત્મકતા વધશે.

ગડકરીના જણાવ્યા અનુસાર, પાંચ વર્ષમાં ભારત તમામ કાર, બસો અને ટ્રક્સનું ઉત્પાદન કેન્દ્ર બનશે, જેમાં તમામ ઇંધણ, ઇથેનોલ, મેથેનોલ, બાયો-સીએનજી, એલએનજી, ઇલેક્ટ્રિક તેમજ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ્સ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *