રામ મંદિર નિર્માણમાં ખોદકામ કરતા મળી આવી એવી વસ્તુઓ- જોઇને હિંદુઓની ખુશીઓનો પાર નહી રહે

અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું કામ ધીમે ધીમે શરૂ થઇ ચૂક્યું છે. આ વચ્ચે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહેલા જમીન…

અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું કામ ધીમે ધીમે શરૂ થઇ ચૂક્યું છે. આ વચ્ચે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહેલા જમીન સમતલીકરણના કામ દરમ્યાન કેટલાક ઐતિહાસિક અવશેષો મળ્યા છે. જેમાં કેટલાય પૌરાણિક અને મૂર્તિ તેમજ શિવલીંગ, કળશ અને બારશાખ પણ મળ્યા છે.

હકીકતમાં જન્મભૂમિ પરિસરમાં રામમંદિર નિર્માણ માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ અંતર્ગત ખાડાઓ પૂરીને સમતલીકરણ કરવામાં આવી રહ્યું છે અને તે ટેકરા ખોદવામાં આવી રહ્યા છે. સાથે સાથે રામ જન્મભૂમિ ખાતે લગાવવામાં આવેલા બેરિકેડ અને જાળીઓને પણ હટાવવામાં આવી રહ્યા છે.

કોરોના સંકટ ને લઈને અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ નું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ કામકાજ વચ્ચે અવશેષો મળતા હિન્દુઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ ના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં જે ખોદકામ કરવામાં આવ્યું છે. ત્યાંથી અને આસપાસ ની જગ્યાઓમાંથી દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ, કળશ, કલાકૃતિઓ જેવી ભવ્ય ચીજ-વસ્તુઓ નીકળી છે.

ટ્રસ્ટ દ્વારા અવશેષો મળવાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. પરંતુ અવશેષ બાબતે વિશેષજ્ઞના નિરીક્ષણ બાદ જ વધુ જાણકારી આપવામાં આવશે.

આવશે સોમા દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ અન્ય કલાકૃતિના પથ્થર, નકશીકામ કરેલી શિવલિંગ ની પ્રતિકૃતિ પણ મળી આવી છે. હાલમાં માત્ર એક ક્નરે, બે ટ્રેકટર અને 10 મજુર તેમજ ત્રણ જેસીબી મશીનથી કામ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *