મોદી સરકારના આ દિગ્ગજ મંત્રીએ CM કેજરીવાલ પર લગાવ્યો ગંભીર આરોપ- જાણો સમગ્ર મામલો

કોરોનાની આ મહામારી વચ્ચે ફરી એક વખત કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર આમને સામે આવી જતા વિવાદ સર્જાયો છે. દેશના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી એવા પ્રહલાદ સિંહ પટેલે આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રીએ હવે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે.

દેશના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી એવા પ્રહલાદ સિંહ પટેલના કહેવા અનુસાર તેઓ છેલ્લા કેટલાય સમયથી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યા હતા. અરવિંદ કેજરીવાલની પાછળ લગાવવામાં આવેલા 2 ધ્વજમાં સફેદ રંગ પર લીલો કલર વધારી દેવામાં આવ્યો છે. આ અંગે અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને સાથે દિલ્હીના ઉપરાજ્યપાલને પણ પત્રની કોપી પહોચાડી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અને પર્યટન મંત્રીએ પત્રમાં લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સમાં પાછળ જે 2 તિરંગા લગાવવામાં આવેલા હો છે તેમાં સફેદ ભાગ પર લીલો ભાગ વધારી દેવામાં આવ્યો છે. જેણે લીધે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું સીએમ કેજરીવાલ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીને તેમાં સુધારો કરવા માટે વિનંતી કરવામાં આવી છે. તેમની સાથે જ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખીને આ અંગે ધ્યાન દોરવાનું કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *