સુરતમાં યુવકનું રહસ્યમય મોત, બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

Mysterious death of youth in Surat: ગુજરાત રાજ્યના સુરત (Surat) માંથી એક રહસ્યમય મોત (Mysterious death ) ની ઘટના પ્રકાશમાં આવી છે, સુરતના ઉધના મગદલ્લા ખાતે કોમલ સર્કલ પાસે આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં યુવાનના બંને હાથ વાયર સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર જયારે તેની પત્ની મૃતકના બાંધેલા વાયર ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને કરંટનો ઝટકો લાગ્યો હતો. જયારે પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ કરી ત્યારે પોલીસે આશંકા લગાવી છે કે, યુવકે આપઘાત કર્યો છે.

ઇલેકટ્રીકની દુકાનમાં યુવક નોકરી કરતો હતો
મળેલી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ દયાનંદ નંદકિશોર આહીરાવ છે તેની ઉંમર 36 વર્ષની છે અને તે ડીંડોલીમાં અંબિકા રો હાઉસમાં રહેતો છે, ઉધના મગદલ્લા રોડ પર આવેલા કોમલ સર્કલ પાસે આવેલી ઇલેક્ટ્રિકની દુકાનમાં દયાનંદ નોકરી કરતો હતો અને તેની પત્ની નજીકમાં પ્રાઇવેટ નોકરી કરે છે.

મોત અંગે પરિવારે કરી શંકા વ્યક્ત
જયારે દયાનંદની પત્ની તેને કોલ કરી રહી હતી પણ ફોન કોઈ રિસીવ ન કરતું હતું ત્યારે તે નજીકમાં જ નોકરી કરતી હોવાથી દુકાને દોડી અવી હતી. દુકાને આવીને જોયું તે પતિ દયાનંદ બંને હાથ વાયરથી બાંધેલી હાલતમાં બેભાન જોવા મળ્યો હતો, આવી અવસ્થામાં જોતા પત્ની ચોંકી ગઇ હતી. જયારે તેની પત્ની વાયર ખોલવા ગઈ ત્યારે તેને કરંટનો ઝટકો લાગતા ચીસાચીસ કરી હતી. ત્યાર બાદ આજુ-બાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જયારે આ અંગે દયાનંદના પરિવાર સાથે વાત કરવામાં અવી ત્યારે તેમણે દયાનંદના મોત અંગે શંકા વ્યક્ત કરી છે.

પોલીસને ઘટનાની જાણ થતા તરતજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં તેમણે વાયર બાંધી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણવા મળશે. મળેલી માહિતી અનુસાર દયાનંદ મુળ મહારાષ્ટ્રના વતની હતો, દયાનંદને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ત્યારે પિતાના મોતને લઈને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *