બંધ મકાનમાંથી આવી રહી હતી દુર્ગંધ, પોલીસે બારણું તોડી ને જોયું તો…

ભોપાલના અયોધ્યા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સવારે એક બંધ મકાનના બાથરૂમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહિલાની હત્યા 5 દિવસ પહેલા થઇ હોવાનું સામે આવ્યું છે. મહિલાના ગળા પર એક નિશાન પણ મળી આવ્યું છે, જેના કારણે તેણીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને કેસની તપાસ હાથ ધરી છે.

અયોધ્યા નગરના મકાન નંબર 17 ગણપતિ હોમ્સમાં રાખી ઉર્ફે રાજકુમારી, પતિ પ્રશાંત અને તેના બે બાળકો સાથે રહેતી હતી. રાજકુમારી એક ખાનગી કંપનીમાં માર્કેટિંગનું કામ કરતી હતી. તેનો પતિ પણ માર્કેટિંગનું કામ કરે છે. કામને લઈને ઘણીવાર બંનેને શહેરની બહાર જવું પડતું હતું. ત્યારે પ્રશાંત બંને બાળકોને ગૌરાતગંજમાં તેના માતાપિતાના ઘરે રાખતો હતો. ગુરુવારે પણ આવું જ થયું હતું, કારણ કે પતિને ગ્વાલિયર જવું પડ્યું હતું અને પત્નીને કામ માટે દિલ્હી જવું પડ્યું હતું. ત્યાબાદ પ્રશાંતનો પત્તો લાગ્યો નથી.

ગણપતિ હોમમાં રહેતા લોકોને સોમવારે બંધ મકાનમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. તેમને તરત પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પર જોયું તો ઘર બહારથી બંધ હતું. પ્રશાંતના પરિવારજનોને બોલાવ્યા પછી પોલીસે ઘરના તાળા તોડી હતા. પોલીસે અંદર જઈને જોયું તો રાજકુમારીનો મૃતદેહ બાથરૂમમાં પડેલો હતો.

પોલીસે જણાવ્યું કે, મહિલાનો પતિ પણ ગાયબ છે. તેનો મોબાઇલ ફોન પણ બંધ છે. મૃતકના પતિની પણ શોધ કરવામાં આવી રહી છે. હવે તપાસ પછી જ સ્પષ્ટ થશે કે, પતિએ તેની પત્નીની હત્યા કરી છે કે પછી આ મામલો કંઈક અલગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *