નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા કરેલી રશિયા-યુક્રેન યુદ્ધની આ ભવિષ્યવાણી સાચી પડી તો જાણો શું થશે પૃથ્વીનું?

રશિયા અને યુક્રેન(Russia-Ukraine war) વચ્ચે સતત 10મા દિવસે યુદ્ધ ચાલુ છે અને હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વણસી રહી છે. વિશ્વના મહાન ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે(Nostradamus) 500 વર્ષ પહેલા વર્ષ 2022 માટે મોટી ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી ક્યારેય ખોટી સાબિત થઈ નથી. હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11નો આતંકી હુમલો અને ફ્રેન્ચ ક્રાંતિ વિશે નાસ્ત્રેદમસે દ્વારા કરવામાં આવેલી સચોટ ભવિષ્યવાણી(Prophecy)ઓ સાચી પડી છે. નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503ના રોજ જર્મનીમાં થયો હતો અને 2 જુલાઈ 1566ના રોજ તેનું અવસાન થયું હતું. ચાલો તમને જણાવીએ કે નાસ્ત્રેદમસે રશિયા -યુક્રેન યુદ્ધ વિશે શું ભવિષ્યવાણી કરી હતી.

આ વાત રશિયા-યુક્રેન યુદ્ધ વિશે લખવામાં આવી હતી:
નાસ્ત્રેદમસે તેના પુસ્તકમાં રુસો-યુક્રેન યુદ્ધની ભવિષ્યવાણી પણ કરી હતી. તેણે લખ્યું કે ‘યુરોપનો એક દેશ પોતાની શક્તિથી આખી દુનિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે અને આ માટે તે તેની સરહદને અડીને આવેલા અન્ય નાના દેશ સાથે લડશે.

આ યુદ્ધમાં હજારો લોકો માર્યા જશે અને ઘણા લોકો તેમના ઘર છોડીને અન્ય દેશોમાં ભાગી જવા માટે મજબૂર થશે. નાસ્ત્રેદમસે આગળ લખ્યું છે કે ‘મોટા દેશના શાસક પોતાની હાર જોઈને પણ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાનું વિચારશે, પરંતુ લાખો લોકોના મોત અને ત્રીજા વિશ્વ યુદ્ધના ભયને કારણે તે જમીની સ્તરે લડાઈ ચાલુ રાખવાનો નિર્ણય કરશે અને પછી તે દેશ પર વિજય મેળવશે.

ઈન્દિરા ગાંધી પર કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ:
ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વિશે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી બિલકુલ સાચી સાબિત થઈ. નાસ્ત્રેદમસે લખ્યું કે ‘કાસ્ટ્રેટેડ વુમન’ ફરી સત્તામાં આવશે. તેના દુશ્મનો તેની વિરુદ્ધ ભયંકર કાવતરું રચશે. ત્રણ વર્ષના યાદગાર સમય પછી તેઓ લગભગ સિત્તેર વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. જણાવી દઈએ કે 1977ની સામાન્ય ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો અને જનતા પાર્ટી સત્તામાં આવી હતી. 1970માં ઈન્દિરા ગાંધીએ જોરદાર પુનરાગમન કર્યું અને ફરીથી વડાપ્રધાન બન્યા. ઈન્દિરા ગાંધી 67 વર્ષના હતા જ્યારે તેમની સુરક્ષા કર્મચારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં નાસ્ત્રેદમસ દ્વારા ભારત અને ઈન્દિરા ગાંધીની રાજનીતિ વિશે કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.

કોરોના વાયરસ અંગેની આગાહી:
નાસ્ત્રેદમસે લગભગ 500 વર્ષ પહેલા વિશ્વને કોરોના વાયરસ વિશે ચેતવણી આપી હતી. નાસ્ત્રેદમસે લખ્યું છે કે, ’21મી સદીમાં દુનિયા આવી ભયાનક બીમારીથી સપડાઈ જશે જે લાખો લોકોનો જીવ લેશે. તેણે આગળ લખ્યું- ‘આ જીવલેણ રોગ એક વ્યક્તિથી બીજામાં ઝડપથી ફેલાશે અને આખી દુનિયા તેનાથી પ્રભાવિત થશે. વર્ષ 2024માં આ મહામારી સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જશે, ત્યાં સુધી માણસે આ ભયાનક રોગથી દૂર રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *