સરકારી હોસ્પીટલમાં લાયકાત વાળો ડોક્ટર નથી- વૃદ્ધને સારવાર ન મળતા મોત ને ભેટ્યા

મુખ્ય પ્રધાન રૂપાણી ભૂતકાળમાં દાવો કરી ચુક્યા છે કે, ગુજરાતમાં અમેરિકા કરતા પણ ચડીયાતી આરોગ્ય સુવિધા છે. ત્યારે ૪૮ કલાકમાં ગુજરાતમાં બે એવી ઘટનાઓ બની…

મુખ્ય પ્રધાન રૂપાણી ભૂતકાળમાં દાવો કરી ચુક્યા છે કે, ગુજરાતમાં અમેરિકા કરતા પણ ચડીયાતી આરોગ્ય સુવિધા છે. ત્યારે ૪૮ કલાકમાં ગુજરાતમાં બે એવી ઘટનાઓ બની છે જેને લઈને વિજય રૂપાણી નો દાવો ખોટો પડી રહ્યો છે. અમદાવાદમાં ખાનગી ડોકટરોને ફરજીયાત સારવાર આપવા જોતરાવાનું કહ્યું છે, જો એમ ન કરે તો તેમની ડીગ્રી રદ્દ કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી ત્યારે હવે ખુદ સરકારી હોસ્પીટલમાં જ એક પણ MD ડોક્ટર ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઉનાની સરકારી હોસ્પિટલમાં કોઈ MD ડોકટર નથી એમ કહી ને હોસ્પિટલ પ્રસાશને એ એક વૃદ્ધને એડમીટ ન કરતા બીજે જવાનું કહેવામાં આવતા રસ્તામાં જ આ વૃદ્ધને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ગીર સોમનાથના ઉના તાલુકાના પાતાપુર ગામના કાકુભાઈ મનજીભાઈ છોડવડિયાને 12 મે ના રોજ સાંજે 6 વાગ્યા ની આસપાસ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી તેમને 108 મારફતે ઉના ની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાના સતાધીશો દ્વારા આ દર્દીને પ્રાથમિક સારવાર આપીને કહી દેવામાં આવ્યું કે અમારી પાસે MD ડોક્ટર નથી. બીજે જાવ.

મૃતક વૃદ્ધના પુત્ર પુષ્પક કાળુભાઇ છોડવડિયા જણાવે છે કે, મારા દાદા ને 12 મે ની સાંજે 6 વાગ્યા ની આસપાસ શ્વાસ લેવા માં તકલીફ થઈ રહી હતી, એટલે 108 મારફતે ઉના ની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ md ડોકટર ન હોવાનું કહી. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. પરંતુ વેરાવળ જતા જતા રસ્તા માં જ અવસાન થઈ ગયું. પરિવારજનો તંત્રને સવાલ કરી રહ્યા છે કે આ મોતના જવાબદાર કોણ?

ગઈકાલે આવી જ એક ઘટના બનાસકાંઠામાં બની હતી જ્યાં ત્રણ દીકરીના પિતાને કોઈ હોસ્પીટલે સારવાર ન આપતા મોતને ભેટ્યા હતા. એક તરફ મુખ્ય પ્રધાન દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે, પરંતુ કડવી હકીકત એ છે કે ગુજરાત ની સરકારી હોસ્પીટલમાં પૂરતા ડોક્ટર કે સાધનો પણ નથી.

નોંધનીય છે કે, ઉના તાલુકામાં બે સરકારી હોસ્પિટલ છે. પરંતુ બંને માત્ર શોભાના ગાંઠીયા સમાન છે. હોસ્પિટલમાં સાધનસામગ્રી હોવા છતાં એક પણ નિષ્ણાંત ડોક્ટર નથી તેમજ પૂરતો સ્ટાફ પણ નથી. પરિણામે દર્દીઓને ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ થતી નથી. ઉનાની નજીક જ દીવ અને તુલસીશ્યામ જેવા પ્રવાસન સ્થળો આવેલા હોવાથી અહીં ટુરીસ્ટોનો ધસારો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *