ઓમિક્રોન મચાવશે હાહાકાર! આ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર- દૈનિક 1.5 લાખ કેસ નોંધાશે

વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની ત્રીજી લહેર(third wave of the corona) અંગે અનુમાન લગાવવામાં આવ્યું છે. ભારતમાં વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન(Omicron)ને કારણે ફેબ્રુઆરી 2022માં કોવિડની નવી લહેર આવી શકે છે. બે વૈજ્ઞાનિકોએ મહામારી પર નજર રાખવા માટેના ફોર્મ્યુલા મોડલ વિશે અનુમાન લગાવ્યું છે. એક અહેવાલ મુજબ, IIT કાનપુરના મનિન્દ્ર અગ્રવાલ(Maninder Agarwal) અને IIT હૈદરાબાદના મોડલના સહ-સ્થાપક એટલે કે એમ વિદ્યાસાગર(M. Vidyasagar) માને છે કે “સૌથી ખરાબ સ્થિતિમાં” ફેબ્રુઆરીમાં દૈનિક નવા કેસ 1.5 થી 1.8 લાખની વચ્ચે હોઈ શકે છે.

મનિન્દ્ર અગ્રવાલ માને છે કે, આ નવા પ્રકારનો ઉદ્ભવ દક્ષિણ આફ્રિકાથી થયો છે. જો તેની સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવે તો નવા પ્રકારથી ઝડપથી ફેલાઈ જશે, પરંતુ ટોચ પર પહોંચ્યા પછી તે પણ ઝડપી ગતિએ નીચે આવવા લાગશે. દક્ષિણ આફ્રિકામાં ત્રણ અઠવાડિયામાં કેસની સંખ્યા ટોચ પર પહોંચી ગઈ છે. જો કે, અહીં પણ ઘટાડો શરૂ થયો છે.

તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં કોવિડ કેસની સરેરાશ સંખ્યા 15 ડિસેમ્બરના રોજ લગભગ 23,000ની ઊંચી સપાટીએ પહોંચી હતી અને હવે તે ઘટીને 20,000થી નીચે આવી ગઈ છે. કોરોનાના નવા સંક્રમણ વિશે હજુ એક વાત અજાણ છે કે તે કેટલી હદે રોગપ્રતિકારક શક્તિને ટાળે છે. તે કહેવું મુશ્કેલ છે કે તે કુદરતી રીતે અટકાવે છે કે રસીકરણ દ્વારા.

જો યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સના કેસ, મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવા અંગેના વર્તમાન અંદાજોને ધ્યાનમાં લેવામાં આવે તો ફેબ્રુઆરીથી ઓમિક્રોનનો ભય ઓછો થવાની સંભાવના છે. યુકે અને યુએસ મળીને વૈશ્વિક સ્તરે કોવિડ કેસના 34 ટકા અને દૈનિક કોરોનાવાયરસ મૃત્યુના 20 ટકા હિસ્સો ધરાવે છે.

યુકેની હેલ્થ પ્રોટેક્શન એજન્સીના જણાવ્યા અનુસાર, 20 ડિસેમ્બરે દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 45,000ને વટાવી ગઈ છે. તેમાંથી, 129 હોસ્પિટલમાં સારવારમાં છે અને 14 દર્દીઓ વાયરસથી મૃત્યુ પામ્યા છે. જ્યારે સપ્તાહ દર અઠવાડિયે દૈનિક નવા કેસોમાં 61 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં 6 ટકાનો વધારો થયો છે. જો કે, આ જ સમયગાળામાં મૃત્યુઆંકમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો છે.

યુનિવર્સિટી કોલેજ લંડનના વેલકમ સેન્ટર ફોર હ્યુમન ન્યુરોઇમેજિંગના અંદાજ મુજબ, યુકેમાં કોવિડ સંબંધિત મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ટોચ પર છે. 7 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ થવાનો દૈનિક આંકડો 1,200ની નજીક જવાની શક્યતા છે, જે હાલમાં 919 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ 137 થવાની સંભાવના છે જે હાલમાં 112 છે.

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.

જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *