બેફામ બનેલા ડમ્પરે પ્રાંતિજના સાદોલીયા નજીક બાઈકને અડફેટે લેતાં એકનું મોત

Prantij Accident: પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પર ટ્રકના ચાલક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જે બાદ ડમ્પરચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવા(Prantij Accident) કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ આ ઘટનાના પગલે મૃતકનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.

બાઇકચાલક યુવકનું મોત
આ અંગે મળતી માહિતી મુજબ પ્રાંતિજના સાદોલીયા નજીક બેફામ દોડતા ડમ્પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું.જેના પગલે રસ્તા પર અફરાતફરી મચી જવા પામી હતી. તેમજ આ ઘટનાના પગલે લોકો દોડી આવ્યા હતા . જો કે અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.

બે લોકોને ગંભીર ઇજા
કરુંણ વાત તો એ છે કે આ અકસ્માતમાં જીવ ગુમાવનાર બાઈક ચાલક યુવાન ચેતનસિંહ ભવાનસિંહ રાઠોડને ત્રણ વર્ષનો પુત્ર છે અને પત્ની ગર્ભવતી છે. આમ ચેતનસિંહના પરિવાર સહિત વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે અરવિંદસિંહ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસે તપાસ શરુ કરી છે.

કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત
તો બીજી તરફ જામનગર નજીક ધોરીવાવ પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને રિક્ષામાં બેઠેલી ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ હતી.

જે અકસ્માત મામલે કારના ચાલક જામનગરના બાંધણીના વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાવા કાર્યવાહી હાથ ધરાઈ છે, જયારે સામા પક્ષે કાર ચાલક દ્વારા પોતાને માર્યા બાદ પોતાની કારને સળગાવી નાખ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.