સુરતના હજીરામાં તળાવમાં નહાવા પડેલા ત્રણ મિત્રોમાંથી એક મિત્રનું ડૂબવાથી મોત

સુરતના હજીરા વિસ્તારમાં મોરા ગામના તળાવમાં ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા. તે પૈકી એક મિત્રનું ડૂબી જવાને કારણે મૃત્યુ નિપજયું છે. મૃતકની ઓળખ 27 વર્ષીય સમીર અહેમદ તરીકે થઈ છે.

સમીર અહેમદ તળાવમાં મિત્રો સાથે નહાવા માટે આવ્યો હતો. સમીર હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. અને મિત્રો સાથે તળાવમાં ન્હાવા પડ્યો હતો અને ડૂબવાથી તેનું મૃત્યુ થયું હતું. ફાયરની ટીમને જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી હતી. અને રેસ્ક્યુ કરી સમીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

સુરતના મોરા ગામના તળાવમાં અવારનવાર ડૂબવાના બનાવો બનતા રહે છે. તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ઇચ્છાપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. અને આગળની તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *