જામનગરમાં બ્રેઈન ડેડ થયેલ નવયુવાનના અંગદાનથી ત્રણ-ત્રણ જરૂરિયાતમંદોને મળશે નવજીવન

સમગ્ર રાજ્યમાં અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાઈ રહી છે. અવારનવાર મૃત પામેલ વ્યક્તિના પરિવારજનો જે-તે મૃત પામેલ વ્યક્તિના અંગોનું અંગદાન કરતાં હોય એવી જાણકારી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે.

જામનગરના બ્રેઈન ડેડ યુવાનના અંગદાન થકી 3 લોકોને નવજીવન મળશે. 2 કીડની તેમજ લીવરનું દાન કરવાથી એકસાથે 3 લોકોને નવજીવન મળશે. જામનગરના 27 વર્ષીય એક યુવાનને અમદાવાદમાં બ્રેઈન ડેડ જાહેર કર્યા પછી તેના અંગદાન મારફતે 3 લોકોને નવજીવન મળી છે.

ડોક્ટરોની સલાહ પ્રમાણે તેના લીવર તથા બન્ને કીડનીનું દાન કરવા માટેનો પરિવાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગરમાં આવેલ સુભાષ માર્કેટ વિસ્તારમાં રહેતા ખવાસ જ્ઞાતિના લખમન દિનેશભાઈ પરમારને થોડા સમય અગાઉ જામનગરના કાલાવડમાં આવેલ નિકાવા નજીક દેવસ્થાને દર્શન કરવા માટે ગયા હતા.

આ દરમિયાન વાહન અકસ્માતમાં એમને માથામાં ઈજા થયા પછી જામનગરની સરકારી તથા ત્યારપછી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આગળની સારવારની જરૂર પડતાં તેને અમદાવાદમ આવેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં તેના મગજનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. તેની સારવારમાં લખનના માતા હર્ષિદાબેન, પિતા દિનેશભાઈ તથા મંગેતર હેમાલી દ્વારા તેની સારવાર અર્થે ખડેપગે રહ્યા પછી ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારપછી તબીબોની સલાહથી અંગદાન કરવાનો પરિવારે નિર્ણય લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *