પ્રમુખસ્વામી નગરના દર્શનાર્થે પહોંચ્યા પાબીબેન રબારી, બાળનગરી જોઇને થયા અભિભૂત- કહ્યું; ભણતરની સાથે….

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગરને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે. ત્યારે હસ્તકલાના કારીગર અને વિશ્વમાં પ્રખ્યાત થયેલાં પાબીબેન પણ આ પ્રમુખસ્વામી નગરને જોઈને , થયા હતા.

પાબીબેન રબારી પ્રમુખસ્વામીનગરની મુલાકાતે પહોંચ્યા:
અમે તમને જણાવી દઈએ કે, કચ્છનાં એક નાના ગામ ભરદોઈના રહેવાસી અને પાબીબેન ડોટકોમથી વિશ્વભરમાં પ્રખ્યાત થયેલાં પાબીબેન રબારી પણ પ્રમુખસ્વામીનગરના દર્શન કરવા માટે પહોચ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જે નગર તૈયાર કરવામાં આવ્યું છે તેમાં પ્રમુખસ્વામી મહારાજના વિચાર, નગરમાં થયેલી કળા અને સ્વયંસેવકોની સેવાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. સાથે જ કહ્યું હતું કે, ‘દુનિયા તો તમે સારું કામ કરશો તો પણ બોલશે’.

મહત્વનું છે કે, પાબીબેન રબારીએ પ્રમુખસ્વામી મહારાજની ભક્તિને યાદ કરી હતી. તેમણે જણાવતા કહ્યું હતું કે, અહીં જે બાળકો માટેના પ્રદર્શનો છે એ મને ખૂબ જ ગમ્યાં કારણ કે અહીં બાળકોને ભણતરની સાથે સાથે ઘડતર પણ શીખવા મળે તે પ્રકારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

જો વાત કરવામાં આવે તો વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *