જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરમાં 15મી ઓગસ્ટ પહેલા પાકિસ્તાનના આતંકીઓ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહના જણાવ્યા અનુસાર, આ હુમલો લશ્કરે તોયબા અને જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનો કરવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યના ડીજીપીએ જણાવ્યું હતું કે, સૈન્ય અને પોલીસ બન્નેને રાજ્યમાં આ હુમલાઓને રોકવા માટે એલર્ટ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, પોલીસ, સૈન્ય અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ બન્ને એકબીજાના સંપર્કમાં છે. સાથે જ પોલીસને એવી પણ માહિતી મળી છે કે, આતંકી સંગઠનોને ઓક્સિજન જમ્મુ કાશ્મીરના અલતાવાદીઓ પુરૂ પાડી રહ્યા છે.
ડીજીપીએ જણાવ્યું હતું કે, જે પણ અલગતાવાદીઓ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને સાથ આપી રહ્યા છે તેમને છોડવામાં આવશે નહીં. જમ્મુ કાશ્મીરમાં જમાત, હુર્રિયત અને અન્ય અલગતાવાદી તત્વો વધુ સક્રિય થઇ રહ્યા છે. હાલ આતંકવાદ હજુ પણ ટકી રહ્યો છે તેના માટે આ અલગતાવાદી તત્વો અને સંગઠનો પણ એટલા જ જવાબદાર છે.
હાલમાં જ એનઆઇએ દ્વારા આતંકીઓને મદદ કરવાના કેસમાં જમાતના 61 જેટલા સૃથળોએ દરોડા પાડયા હતા. બીજી તરફ બંદીપોરામાં સર્ચ ઓપરેશન દ્રારા સૈન્યને મોટા પાયે હથીયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. મોટા હુમલા માટે તેનો ઉપયોગ કરવાનો હતો. જપ્ત કરેલ હિથયારોમાં 3 એકે રાઇફલ્સ, 12 એકે કારતુસ, 358 એકે રાઉન્ડ્સ, 2 પિસ્તોલનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.