પાકિસ્તાનની નાપાક હરકત- જાણો ક્યાંથી 3 ભારતીય બોટ સાથે 18 માછીમારોનું કર્યું અપહરણ

ગુજરાત(gujarat): પાકિસ્તાન(Pakistan)ની વધુ એક નાપાક હરકત સામે આવી રહી છે. ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્ર(Saurashtra)ના દરિયામાંથી પાકિસ્તાન મરીને IMBL નજીકથી 3 ભારતીય બોટનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મરીને…

ગુજરાત(gujarat): પાકિસ્તાન(Pakistan)ની વધુ એક નાપાક હરકત સામે આવી રહી છે. ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્ર(Saurashtra)ના દરિયામાંથી પાકિસ્તાન મરીને IMBL નજીકથી 3 ભારતીય બોટનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મરીને બોટ સાથે 18 જેટલા માછીમારનું પણ અપહરણ કરી લીધું છે. પાકિસ્તાન મરીન બોટ અને માછીમારનું અપહરણ કરી કરાચી તરફ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

આવું પહેલી વખત નથી બન્યું પાકિસ્તાન મરીન દ્વારા અવાર-નવાર ભારતના માછીમારોને હેરાન કરવામાં આવે છે. જેમા તેઓ ભારતના માછીમારોનું અપહરણ કરી લેતા હોય છે. આ મામલે માછીમારો દ્વારા ઘણી વખત સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે વધુમાં પાકિસ્તાન મરીનની વધું એક નાપાક હરકત સામે આવી છે.

3 ભારતીય બોટ સાથે 18 માછીમારોનું અપહરણ
પાકિસ્તાન મરીન દ્વારા આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમા તેમણે 3 ભારતીય બોટમાંથી કુલ 18 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. આ ઘટનાને લઈને હવે માછીમારોમાં રોષનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

ત્રણેય બોટ ગુજરાતની હોવાની આશંકા
IMBL નજીકથી પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમા કુલ 3 બોટ હતી જે બંન્ને બોટમાં 18 માછીમારો હતા. બંને બોટ ગુજરાતના દ્વારકાની હોવાની શક્યતા સેવાઈ રહી છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટના બની છે. પાક મરીન અપહરણ કરીને કરાંચી તરફ લઈ ગયા હોવાનું અનુમાન છે.

6 ફેબ્રુઆરીએ પણ 2 બોટ અને 12 માછીમારોનું કર્યું હતું અપહરણ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 6 ફેબ્રુઆરીએ આજ રીતે પાકિસ્તાન મરીન દ્વારા આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમા તેમણે ગુજરાતની 2 બોટમાંથી કુલ 12 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે.

આ ઉપરાંત, પોરબંદર વિસ્તારમાં અરબી સમુદ્રમાંથી પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટ અને 78 માછીમારોનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા 24 કલાકમાં કુલ 13 બોટ પકડવામાં આવી છે. મંગળવારે ત્રણ ફિશિંગ બોટ અને 18 માછીમારોને પાકિસ્તાન લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને હવે માછીમારોમાં રોષનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *