પરેશ ધાનાણી નું એક ટ્વીટ કહી જાય છે, હજુ ઘણા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપ તરફ જશે

રવિવારની સવારથી ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ મચી છે. સવારે કોંગ્રેસના અમુક ધારા સભ્યોએ રાજીનામા આપ્યા હોવાના સમાચાર વહેતા થયા છે. ત્યારથી કોંગ્રેસ ચિંતાતુર બની છે. કોંગ્રેસના જેટલા વધુ ધારાસભ્યો રાજીનામાની આવશે તેનો સીધો ફાયદો ભાજપ ને થશે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી નું એક ટ્વીટ ઘણા રહસ્યો નો જવાબ આપી રહ્યું છે પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને કહ્યું કે કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્ય કે રાજીનામું આપ્યું નથી જેનો સીધો મતલબ નીકળી શકે કે, જેટલા પણ ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. તેઓ કોંગ્રેસના વફાદાર નહીં હોય અને કોંગ્રેસ પ્રત્યેની તેમની ઈમાનદારી નહીં હોય.

આ ટ્વીટ બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય એ રાજીનામુ આપ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે હજુ અન્ય 8 ધારાસભ્યો પણ રાજકારણની વંડી ઠેકવાની રાહ જોઈ રહ્યા છે.

નરહરિ અમીનને રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે ઉતારીને કોંગ્રેસની પાટીદાર ઉમેદવાર ન ઉતારવાની યોજના ને બૂમરેંગ બનાવી દીધું છે. કહેવાય રહ્યું છે કે અમિત ચાવડા અને પરેશ ધાનાણી ના કોલ્ડવોર અને જુથવાદને કારણે રાજ્યસભાની ટિકિટ ભરતસિંહને મળતા રાજીનામુ આપનાર ધારાસભ્યો નારાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *