રાતના અંધારામાં યાત્રાળુઓ થી ભરેલી બસ નહેરમાં ખાબકી: 4 લોકોના મૃતદેહ મળી આવ્યા

મંગળવારે સવારે મુસાફરોથી ભરેલી બસ નહેરમાં પડી હતી. કેનાલમાંથી હજી સુધી 4 મૃતદેહો કાઢવામાં આવ્યાં છે. બસમાં 55 થી વધુ મુસાફરો હતા. પોલીસના જણાવ્યા અનુસાર,…

મંગળવારે સવારે મુસાફરોથી ભરેલી બસ નહેરમાં પડી હતી. કેનાલમાંથી હજી સુધી 4 મૃતદેહો કાઢવામાં આવ્યાં છે. બસમાં 55 થી વધુ મુસાફરો હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રામપુરના નાઇકીન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો.

બસ સીધી સત્ના તરફ જઇ રહી હતી. નાઇકીનમાં તે પટના પુલ નજીક નહેરમાં પડી હતી. અકસ્માતનું કારણ હજી બહાર આવ્યું નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહે અકસ્માતની માહિતી મળતા જ સિધીમાં અધિકારીઓ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.

SDRFની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. ક્રેન ઉપરાંત અન્ય મશીનરી પણ મંગાવવામાં આવી છે. ડાઇવર્સ પણ ત્યાં હાજર છે. સાવચેતીના પગલા રૂપે બાણસાગર ડેમમાંથી કેનાલનું પાણી બંધ કરાયું છે. કેનાલની જળસપાટી ઘટાડવા માટે તેનું પાણી સિહાવાલ કેનાલમાં મોકલવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશની ભોપાલમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *