શ્રાદ્ધ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, પિતૃઓ થઈ જશે નારાજ

સનાતન ધર્મમાં પિતૃપક્ષનો સમય પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે લોકો તેમના પિતૃઓને યાદ કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ લે છે. પિતૃપક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાની તારીખથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યા એટલેકે આસો માસની અમાસ સુધી ચાલે છે. પિતૃપક્ષના 16 દિવસ હોય છે.

જેને સોળ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ વખતે પિતૃપક્ષનો સમય 2 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સમય દરમિયાન તમારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આ સમયે પિતૃઓના આશીષ મેળવવાનો અવસર હોય છે.

પિતૃપક્ષને પિતૃઓનો સમય માનવામાં આવે છે, આ પિતૃઓને યાદ કરવાનો સમય છે, તેથી આ સમયે કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. પિતૃપક્ષમાં નવા કપડા અથવા કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન જોઈએ શાસ્ત્રોમાં આ દિવસોને શોકના દિવસો માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે પૂર્વજો પૃથ્વી પર આવે છે, તેથી તેઓ કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે. કોઈએ કોઈ પણ પ્રાણી અથવા પક્ષીને હેરાન કરવા નહી આ સમય દરમિયાન કોઈ તમારા દરવાજા પર આવે તો તેને ખાલી હાથ પરત ન કરો.

તેલનો ઉપયોગ ન કરો, આ દિવસે અત્તર ન લગાવો. ઘરે, સાત્વીક ભોજન તૈયાર કરવું જોઈએ અને પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધકર્મના દિવસે પાન ન ખાવું અને પિત્રુપક્ષ પર બીજાના ઘરે જમવાનું ન લેવું.

પિતૃ શ્રાદ્ધ કરતી વખતે લોખંડના વાસણનો ઉપયોગ કરવાનું ટાળો. તેના બદલે અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ થઈ શકે છે. તમે શ્રાદ્ધ કરવા માટે પિત્તળનો ઉપયોગ કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે આનાથી અશુભ અસરો ઓછી થાય છે. જો તમે પિંડદાન કરી રહ્યા છો, તો બ્રાહ્મણને દર્ભના આસન પર બેસાડો. યથાશક્તિ દાન આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *