પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો વધુ

દુનિયા આખીમાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના રાંચીમાં 40 હજાર લોકો સાથે મળીને યોગ કર્યા હતાં.…

દુનિયા આખીમાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના રાંચીમાં 40 હજાર લોકો સાથે મળીને યોગ કર્યા હતાં. આ દરમિયાન જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

આ ધમકી 500 રૂપિયાની ચલણી નોટ પર લખીને ધમકી આપવામાં આવી છે. ત્રિશૂરના ગુરુવાયૂર મંદિર દેવાસઓમ ઓફિસને એક કવર મળ્યું છે. એમાં એક 500 રૂપિયાની ચલણી નોટ હતી. નોટ પર ધમકી લખવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ‘પીએમ મોદીને મારી નાખવામાં આવશે, તેમનું ગળું કાપી નાખવામાં આવશે’.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવાની ધમકી મલયાલમ ભાષામાં લખવામાં આવી છે. આ ઘટના સામે આવતા જ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓમાં સનસનાટી મચી જવા પામી છે. ગુપ્તચર એજન્સીઓ આ દિશામાં તપાસ ચલાવી રહી છે. તે એ જાણકારી મેળવી રહી છે કે આ પત્ર આખરે ક્યાંથી આવ્યો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે ગયા તે પહેલા તેઓ આ મંદિરમાં ગયા હતાં. હવે આ ઘટના સામે આવ્યા બાદ ગુપ્તચર અને સુરક્ષા અજેન્સીઓએ પીએમ મોદીની સુરક્ષાનો રિવ્યુ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *