PM મોદીએ ગણતંત્ર દિવસે પહેરેલ પાઘડીનું જામનગર સાથે રહેલું છે ખાસ જોડાણ- જાણો જલ્દી…

26 મી જાન્યુઆરીનાં રોજ દેશના બંધારણની રચના કરવામાં આવી હતી. જેને લીધે આજના દિવસે સમગ્ર દેશમાં આજના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આજના…

26 મી જાન્યુઆરીનાં રોજ દેશના બંધારણની રચના કરવામાં આવી હતી. જેને લીધે આજના દિવસે સમગ્ર દેશમાં આજના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે દેશની રાજધાની દિલ્હીમાં આવેલ રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં મુખ્ય અતિથીઓ તેમજ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ઉપસ્તિથ રહે છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષ દરમિયાન કોઈપણ મુખ્ય અતિથીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. છેલ્લા 66 વર્ષ બાદ આ વર્ષે કોઈપણ મુખ્ય અતિથીની હાજરી વિના પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે PM મોદીને લઈ એક જાણકારી સામે આવી છે.

PM નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિન પર સાફો બાંધવાની પ્રથા યથાવત રાખી હતી. તેઓ 72 મા ગણતંત્ર દિન પર ખાસ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. કેસરી રંગની આ પાઘડી તેમના પર શોભી રહી હતી. PM મોદીએ ઈન્ડિયા ગેટ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પ અર્પણ કરીને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

જામનગરના શાહી પરિવારે ભેટમાં આપી પાઘડી :
PM નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસના અવસર પર જામનગરની એક ખાસ પાઘડી પહેરી છે. ગુજરાતમાં આવેલ જામનગરના શાહી પરિવાર દ્વારા આ પાઘડી તેઓેને ભેટમાં આપવામાં આવી હતી. શાહી પરિવાર દ્વારા આવાં પ્રકારની પહેલી પાઘડી PM મોદીને ભેટમાં આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *