Prayagraj MahaKumbh 2025: પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા માટે દરરોજ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, જેના કારણે આખું શહેર ભરાયેલું છે. રવિવારથી ભીડની (Prayagraj MahaKumbh 2025) સ્થિતિ એવી છે કે લોકો 20 મિનિટનું અંતર કાપવા માટે કલાકો સુધી જામમાં ફસાયેલા રહે છે. રવિવારે, પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના તમામ રૂટ પર કેટલાક કિલોમીટર સુધી ટ્રાફિક ખોરવાયો હતો. ભીડ એટલી બધી હતી કે પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશન બંધ કરવામાં આવ્યું. મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 13 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીમાં 43.57 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે.
મહાકુંભમાં દેશ-વિદેશથી ભક્તો આવ્યા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી ભક્તો પહોંચી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 43.57 કરોડ ભક્તોએ સ્નાન કરી લીધું છે. મહાકુંભમાં ભક્તોની ભારે ભીડને કારણે સંગમ સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni Sangam as people continue to take a holy dip.
As per the Uttar Pradesh Information Department, more than 41 crore people have taken a holy dip so far. pic.twitter.com/SUBo7tsyJK
— ANI (@ANI) February 10, 2025
ટ્રાફિક એડીસીપીએ કારણ જણાવ્યું
ટ્રાફિક એડીસીપી કુલદીપ સિંહે જણાવ્યું હતું કે, “વાહનોની સંખ્યા ખૂબ વધારે છે અને મુસાફરો શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે શક્ય તેટલી નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા છે.આના કારણે, લાંબો ટ્રાફિક જામ થાય છે અને આ ભીડને કારણે, અમારે મૌની અમાવસ્યાની વ્યવસ્થા લાગુ કરવી પડે છે. તેમણે કહ્યું કે, મૌની અમાવસ્યા પર જેટલી ભીડ આવી હતી તેટલી જ હવે ભીડ આવી રહી છે. દૂરનો પાર્કિંગ લોટ ૫૦ ટકા ભરેલો છે. નજીકનું પાર્કિંગ એક નાનું પાર્કિંગ છે જ્યારે દૂરનું પાર્કિંગ મોટું છે, છતાં વાહનોની લાઇન લાગેલી છે.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni Sangam as people continue to take a holy dip
As per the Uttar Pradesh Information Department, more than 41 crore people have taken a holy dip so far pic.twitter.com/snsiuP1bMZ
— ANI (@ANI) February 9, 2025
રવિવારે દોઢ કરોડ ભક્તો પહોંચ્યા
માઘ માસની દ્વાદશી તિથિએ, જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં હતા, ત્યારે આ શુભ અવસરને અનુસરીને રવિવારે સંગમ કાંઠે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન આશરે 1 કરોડ 57 લાખ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું, જ્યારે અત્યાર સુધીમાં કુલ 43.57 કરોડ ભક્તોએ તીર્થસ્નાન કરી ચુક્યા છે.
55 કરોડ શ્રદ્ધાળુઓ કરશે મહાકુંભમાં સ્નાન
સરકારના અંદાજ મુજબ, સમગ્ર મહાકુંભ દરમિયાન કુલ 55 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે. અમૃત સ્નાન ઉત્સવો પૂર્ણ થયા બાદ પણ ભક્તોની ભીડ યથાવત રહી છે, અને તેઓ શ્રદ્ધાભાવથી સંગમમાં સ્નાન માટે ઉમટી રહ્યા છે. રવિવારે પણ મહાકુંભમાં ભક્તોના ધસારા વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો. સંગમ ઘાટથી લઈને સમગ્ર મેળા વિસ્તારમાં એટલી ભીડ હતી કે ઊભા રહેવા માટે પણ જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App