ઘરની આ દિશામાં ખાસ આ વસ્તુ રાખવાથી કુબેર દેવતાની કૃપાથી થશે અઢળક ધનપ્રાપ્તિ 

વાસ્તુ શાસ્ત્રમાં જીવનની કેટલીક સમસ્યાઓનું સમાધાન જણાવ્યું છે. કુબેર દેવતાને પ્રસન્ન કરવા માટેની કેટલીક રીતો પણ જણાવવામાં આવી છે. જો તમે આ વસ્તુઓ કુબેર દિશામાં મુકશો તો તેનાથી તમને ધનની સાથે જોડાયેલ મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. આની સાથે જ ધન પ્રાપ્તિની ઈચ્છા જલ્દીથી પુરી થઈ શકે છે.

અપાર ધનની લાલચમાં વ્યક્તિ દિવસ-રાત સખત મહેનત કરે છે. તે સતત એ જ પ્રયત્નમાં લાગ્યો રહે છે કે, તેની પાસે ખુબ રૂપિયા હોય. પરંતુ સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિની ધન પ્રાપ્તિની ઈચ્છા પુર્ણ થઈ શકતી નથી. જયારે મનુષ્યને પોતાની મહેનતનું ફળ મળતું નથી, તો તે ખુબ હતાશ થઈ જાય છે પરંતુ તમે ધન લાભની પોતાની ઈચ્છાને પુર્ણ કરી શકો છો.

ધનની દેવી માતા લક્ષ્મી છે પણ કુબેર દેવતાને પણ ધનના દેવતા માનવામાં આવે છે. જો તમે કુબેર દેવતાને પ્રસન્ન કરી લો છો, તો એનાથી તમારા જીવનમાં ધનની સાથે જોડાયેલ મુશ્કેલીઓ પેદા થશે નહી. જો તમે કુબેરની દિશામાં કુબેર સાથે જોડાયેલ અમુક ખાસ વસ્તુઓ રાખો છો.

તેનાથી તમને ધન લાભ થશે તેમજ ભગવાન કુબેરની સાથે જ દેવી-લક્ષ્મીની પણ વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહેશે. ઘર અથવા તો દુકાનની ઉત્તર દિશા કુબેરની દિશા હોય છે તથા આ દિશા સુખ સુવિધા તથા ધન લાભ અપાવવામાં ખુબ મદદરૂપ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અમુક વસ્તુઓ તમે આ દિશામાં રાખો, તેનાથી તમને લાભ થશે.

કુબેર દિશામાં રાખવી જોઈએ આ વસ્તુઓ :

તાંબાના કળશ પર શ્રીફળ રાખવું :
જો તમે શુભ ફળની પ્રાપ્તિ કરવા માંગો છો, તો તમે કુબેર દિશા એટલે કે ઉત્તર દિશામાં તાંબાના કળશમાં પાણી ભરીને તેની ઉપર શ્રીફળ મૂકીને પોતાના ઘર અથવા તો દુકાનમાં સ્થાપિત કરવું.

લીલા રંગનું પિરામિડ :
જો તમે વાસ્તુ દોષ દૂર કરવા માંગો છો તો આની માટે તમારે પોતાના ઘર અથવા તો દુકાનની ઉત્તર દિશામાં લીલા રંગનું પિરામિડ રાખવું કે, તેનાથી વાસ્તુ દોષ દૂર થશે. આને ખુબ શુભ માનવામાં આવે છે.

3 સિક્કા લાલ કપડામાં બાંધીને રાખવાં :
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો કુબેર દિશામાં 3 સિક્કા લાલ કપડામાં બાંધીને રાખવામાં આવે, તો તેનાથી વ્યક્તિને પોતાના જીવનમાં સકારાત્મક પરિણામ મળે છે. ખાસ આ વાતનું ધ્યાન રાખવું કે, તમે તેને એવા સ્થાન પર રાખો કે, જ્યાં કોઈની નજર પડે નહી.

કાચબાનો ફોટો અથવા તો પ્રતિમા રાખો :
જો તમારે અનેક વાર ધન હાનિનો સામનો કરવો પડી રહ્યો છે. સતત પ્રયાસ કરવા છતાં પણ તમને ધનલાભ મળી રહ્યો નથી, તો આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે તમે પોતાના ઘર અથવા તો દુકાનની ઉત્તર દિશામાં કાચબાનો ફોટો અથવા તો મૂર્તિ રાખી શકો છો, તેનાથી ધન હાનિથી બચી શકાય છે. જેથી જલ્દી જ ધન લાભ પ્રાપ્તિના યોગ બનશે.

નારિયેળ રાખવું :
જો તમે પોતાના ઘર અથવા તો દુકાનની ઉત્તર દિશામાં નારિયેળ મુકો તો તે ખુબ શુભ માનવામાં આવે છે. દરરોજ નારિયેળ મુકીને સવારના સમયે આ નારિયેળને નદી અથવા તો કુવામાં પ્રવાહિત કરીને ફરીથી નારિયેળ મુકવું. આની સાથે જ તેના પર તમે હળદર તથા કુમકુમ જરૂરથી લગાવી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *